________________
ઉપદેશરત્નમાલા કુલકર્
૧૨૩
पत्थावे जंपिज्जइ सम्माणिज्जइ खलो वि बहुमज्झे । नज्जइ सपरविसेसो सयलत्था तस्स सिज्झंति ।। १९ ।। मंततंताण न पासे गम्मइ नय परगिहे अबीएहिं । पडिवन्नं पालिज्जइ सुकुलीणत्तं हवइ एवं ।।२०।। भुंजइ भुंजाविज्जइ पुच्छिज्ज मणोगयं कहिज्ज सयं । दिज्जइलिज्जिइ उचिअ इच्छिज्जइ जड़ थिर पिम्मं ।। २१ ।। को वि न अवमन्निज्जइ न य गविज्जइ गुणेहिं निअएहिं । न विम्हिओ वहिज्जइ बहुरयणा जेणिमा पुहवी ।। २२ ।। आरंभिज्जइ लहुअं किज्जइ कज्जं महंतमवि पच्छा । न य उक्करिसो किज्जइ लब्भइ गुरुअत्तणं जेण ।। २३ ।। साहिज्जइ परमप्पा अप्पसमाणो गणिज्जइ परोवि । किज्जइ न रागदोसो छिन्निज्जइ तेण संसारो ।।२४।।
યોગ્ય અવસરે બોલવું, ઘણાની વચ્ચે ખલ પુરુષનું પણ સન્માન કરવું, પોતાના અને પારકાનાં ભેદને જાણવો-આમ કરવાથી સકલ અર્થો સિદ્ધ થાય છે. ।।૧૯।। માંત્રિક-તાંત્રિક પાસે ન જવું, પારકા ઘરે સંગાથ વિના જવું નહીં, પ્રતિજ્ઞાનું પાલન-જે ક૨વું સ્વીકાર્યું હોય તે-ક૨વું જો આ પ્રમાણે કરવાથી સુકુલીનતા પ્રાપ્ત થાય
છે. ।।૨૦।।
જો સ્થિર પ્રેમ ઇચ્છતા હો તો પરસ્પર ભોજન ક૨વું-કરાવવું, તેના મનોગત ભાવને પૂછવા અને પોતાની મનોભાવના જણાવવી, ઉચિત વસ્તુની લેવડ-દેવડ કરવી. ।।૨૧।।
કોઇની પણ અવજ્ઞા ન કરવી, પોતાના ગુણોનું કીર્તન ન કરવું, વિસ્મય રાખવો નહીં, કારણકે આ પૃથ્વી બહુરત્ના છે. ।।૨૨।।
નાના કાર્યથી શરુઆત ક૨વી અને મોટું કાર્ય પછીથી ક૨વું, પોતાનો ઉત્કર્ષ કરવો નહીં-જેનાથી ગૌરવ પ્રાપ્ત થાય છે. ।।૨૩।।
પરમાત્માની સાધના કરવી, અન્યને પણ સ્વસમાન ગણવા, રાગ-દ્વેષ ન ક૨વા-આમ કરવાથી સંસારનો ઉચ્છેદ થાય છે. ।।૨૪।।