________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
૫. નિવૃત્તિરૂપ એવો એકાંત શુદ્ધ, તીર્થંકરાદિએ આચરેલ, મૈત્રી આદિ
ભાવ સ્વરૂપ હોવાથી સર્વહિતકારી, સ્વીકાર કરવા પ્રમાણે પાલન કરવાથી નિરતિચાર અને નિર્વાણનું કારણ એવો ધર્મ વ્યાધિ સમાન
મૃત્યુનું ઔષધ છે. ૬. હમણાં કહેલ આ ધર્મને નમસ્કાર હો ! આ ધર્મના પ્રકાશક અરિ
હંતોને નમસ્કાર હો ! આ ધર્મના પાલક મુનિઓને નમસ્કાર હો ! આ ધર્મના પ્રરૂપક સાધુઓને નમસ્કાર હો ! આ ધર્મનો સ્વીકાર
કરનારા શ્રાવકાદિને નમસ્કાર હો ! ૭. હું સમ્યક મન-વચન-કાયાના યોગોથી આ ધર્મ સ્વીકારવાને ઇચ્છું
છું. આનાથી સાધક પોતાના ધર્મ પ્રત્યેના પક્ષપાતને કહે છે. સમ્યગુ મન-વચન-કાયાના યોગોથી એમ કહીને સંપૂર્ણ ધર્મને સ્વીકાર
વાની ઇચ્છા દર્શાવે છે. ૮. વિશેષ પ્રાર્થનાને કહે છે– પરમ કલ્યાણરૂપ જિનોના અનુગ્રહથી
પ્રસ્તુત ધર્મની પ્રાપ્તિરૂપ મારું કલ્યાણ થાઓ ! ૯. આ પ્રમાણે અત્યંત એકાગ્રતાથી વારંવાર ચિંતન કરવું. આ પ્રમાણે
એકાગ્રતાપૂર્વક વારંવાર ચિંતવવાથી પોતાના આશયથી જ અરિ
હતના નિમિત્તથી અનુગ્રહ થાય છે. ૧૦. તથા હું આવા ધર્મથી યુક્ત મુનિઓની આજ્ઞાનું પાલન કરનારો
બનું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન મોહને છેદવાનું મુખ્ય સાધન છે. કારણ કે મુનિઓની આજ્ઞાનું પાલન સાધકના મોહ છેદવાના યોગોની સિદ્ધિનું કારણ છે, અર્થાત્ મુનિઓની આજ્ઞાનું પાલન
કરવાથી સાધકનો મોહ છેદાય તેવા યોગોની સિદ્ધિ (=પ્રાપ્તિ) ૧. નિવૃત્તિરૂપ ધર્મ એટલે ચારિત્રધર્મ. ધર્મના પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ એમ બે પ્રકાર છે.
જેમાં પ્રતિજ્ઞાપૂર્વક હિંસા વગેરે પાપથી નિવૃત્ત થવાનું ન હોય તેવો ધર્મ પ્રવૃત્તિધર્મ છે. જેમ કે-જિનપૂજા, સુપાત્રદાન વગેરે. જેમાં પ્રતિજ્ઞા પૂર્વક હિંસા વગેરે પાપથી નિવૃત્ત થવાનું હોય તે નિવૃત્તિ રૂપ ધર્મ છે. જેમ કે દેશવિરતિ કે સર્વવિરતિ. પ્રસ્તુતમાં ધર્મનું એકાંત વિશુદ્ધ એવું વિશેષણ છે. ચારિત્રધર્મ જ એકાંત વિશુદ્ધ છે. માટે ટીકામાં એકાંત વિશુદ્ધ
ધર્મને જણાવવા નિવૃત્તિ રૂપ એમ કહ્યું. ૨. આદિ શબ્દથી શ્રાવિકાઓ અને અપુનબંધક જીવો સમજવા.