________________
પંચસૂત્ર
૪૫
પહેલું સૂત્ર
ष्टत्वेनैव । तदेवंभूतं किम् ? इत्याह-सुप्रयुक्त इव महाऽगदः एकान्तकल्याणः शुभफलं स्यादनन्तरोदितं कर्म । तथा शुभप्रवर्तकं स्यादनुबन्धेन । एवं परमसुखसाधकं स्यात् पारम्पर्येण, निर्वाणावहमित्यर्थः । यत एवं, अतोऽस्मात्कारणात् 'अप्रतिबन्धमेतत्' प्रतिबन्धरहितं, अनिदानमित्यर्थः । 'अशुभभावनिरोधेन' अशुभानुबन्धनिरोधेनेत्यर्थः । शुभभावनाबीजमिति कृत्वैतत्सूत्रं 'सुप्रणिधानं' शोभनेन प्रणिधानेन सम्यक् प्रशान्तात्मना 'पठितव्यं' अध्येतव्यम् । श्रोतव्यमन्वाख्यानविधिना । 'अनुप्रेक्षितव्यं' परिभावनीयमिति । न च, "होउ मे एसा अणुमोदना सम्मं विहिपुब्विगा'' इत्यादिना निदानपदमेतदिति मन्तव्यम् । क्लिष्टकर्मबन्धहेतोर्भवानुबन्धिनः संवेगशून्यस्य महर्द्धि भोगगृद्धावध्यवसानस्य निदानत्वात् । अस्य च तल्लक्षणायोगात् । अनीदृशस्य चानिदानत्वात् । आरोग्यप्रार्थनादेरपि निदानत्वप्रसङ्गात् । तथा चागमविरोध:-"आरोग्गबोधिलाभं समाधिवरमुत्तमं देंतु" इत्यादिवचनश्रवणादित्यलं प्रसङ्गेन।
સૂત્રાર્થ તથા શુભકર્મનો અનુબંધ (આત્મા પ્રત્યે) ખેંચાય છે, શુભભાવની વૃદ્ધિથી એ અનુબંધ મજબૂત થાય છે, તથા પરિપૂર્ણ કરાય છે, શુભભાવથી ઉપાજેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ સારી રીતે યોજેલા એકાંતે કલ્યાણકારી ઉત્તમ ઔષધની જેમ નિયમા ફળ આપે છે, શુભ ફળ આપે છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, એ પ્રમાણે પરંપરાએ પરમ સુખ સાધક બને છે, અર્થાત્ મોક્ષસાધક બને છે.
આથી આ સૂત્ર નિદાન રહિત છે. આ સૂત્ર અશુભભાવોને અટકાવવા વડે= અશુભ અનુબંધોને અટકાવવા વડે શુભભાવનું બીજ=કારણ છે. અર્થાત્ આ સૂત્ર અશુભ ભાવોને અટકાવે છે, અને એથી અશુભ અનુબંધોને અટકાવે છે, અને એથી શુભભાવોને ઉત્પન્ન કરે છે. આથી અતિશય એકાગ્રતાથી પ્રશાંત બનીને આ સૂત્રનું પઠન કરવું, શ્રવણ કરવું અને ચિંતન કરવું.
ટીકાર્થ– શુભકર્મના અનુબંધો ખેંચાય છે– આનું તાત્પર્ય એ છે કે શુભકર્મના અનુબંધો ખેંચાઇને આત્મામાં આવે છે, અર્થાત્ શુભકર્મો અનુબંધવાળાં બંધાય છે–પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
પરિપૂર્ણ કરાય છે– અર્થાત્ સર્વોત્કૃષ્ટ કક્ષાના અનુબંધો બંધાય છે.
૧. શ્રોતવ્યમ-વાધ્યામિના=વક્તા સૂત્રને જેમ જેમ બોલતો જાય તેમ તેમ શ્રોતા એ સૂત્રને
(અત્યંત મંદસ્વરે) બોલતો જાય. આ રીતે અન્વાખ્યાન વિધિથી સાંભળવું જોઇએ.