________________
ર૯
પહેલું સૂત્ર
पूजितः' । सुरा ज्योतिष्कवैमानिकाः । असुरा व्यन्तरभवनपतयः । मनुजाः पुरुषविद्याधराः । अयमेव विशेष्यते-मोहस्तिमिरमिव मोहतिमिरं सद्दर्शनावारकत्वेन, तस्यांशुमालीवांशुमाली, तदपनयनादादित्यकल्पः । अयमेव विशेष्यते-रागद्वेषौ विषमिव रागद्वेषविषं, तस्य परममन्त्रः, तद्घातित्वेनेति भावः । अयमेव विशेष्यते-'हेतुः' कारणं, प्रवर्तकत्वादिना, 'सकलकल्याणानां' सुदेवत्वादीनाम् । अयमेव विशेष्यते-कर्मवनस्य ज्ञानावरणीयादिसमुदयरूपस्य विभावसुरिवाग्निरिव, तद्दाहकत्वेन । अयमेव विशेष्यते-‘साधकः' निर्वर्तकः, 'सिद्धभावस्य' सिद्धत्वस्य, तथातत्संपादकत्वेन । कोऽयमेवं ? किं वा ? इत्याह-'केवलिप्रज्ञप्तः' केवलिप्ररूपितः, 'धर्मः' श्रुतादिरूपः । 'यावज्जीवं' इति पूर्ववत् 'मे' मम 'भगवान्' समग्रैश्वर्यादिगुणयुक्तः 'शरणम्' आश्रयः । एतच्चतुःशरणगमनं, एकार्थसाधकत्वेन प्रभूतानामप्यविरुद्धमेव । अत एव परमार्थ(प)म्- "चत्तारि सरणं पवज्जामि, अरहते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं धमं सरणं पवज्जामि" इति ।
સૂત્રાર્થ– તથા સુર-અસુર-મનુષ્યપૂજિત, મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન, રાગ-દ્વેષરૂપ વિષ માટે ઉત્કૃષ્ટ મંત્ર સમાન, સઘળા કલ્યાણનું કારણ, કર્મરૂપ વન માટે અગ્નિ સમાન, સિદ્ધિનો સાધક, કેવલિપ્રજ્ઞપ્ત, ઐશ્વર્ય આદિ સઘળા ગુણોથી યુક્ત ધર્મ જીવનપર્યત મારું શરણ છે.
ટીકાર્થ-તથા કેવલ સાધુઓ જ શરણ નથી, કિંતુ કેવળીએ કહેલો ધર્મ પણ શરણ છે એમ તથા શબ્દનો અર્થ છે.
સુર-અસુર-મનુષ્યપૂજિત- જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સુર કહેવાય છે. બંતર અને ભવનપતિ દેવો અસુર કહેવાય છે. (વિદ્યારહિત) પુરુષો અને વિદ્યાધરો મનુષ્ય છે. ધર્મ સુર, અસુર અને મનુષ્યોથી પૂજાયેલો છે.
મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન– જેવી રીતે અંધકાર દૃષ્ટિને ઢાંકી દે છે તેવી રીતે મોહ સદ્દષ્ટિને ઢાંકી દે છે. એથી અહીંમોહને અંધકારની ઉપમા આપી છે. જેવી રીતે સૂર્ય અંધકારને દૂર કરે છે, તેવી રીતે ધર્મ મોહને (અજ્ઞાનને) દૂર કરે છે. માટે અહીં ધર્મને સૂર્યની ઉપમા આપી છે.