________________
આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત જગતને. ભાવ આરોગ્યની ભેટ
અગણિત ગુણવૃક્ષોના આરામ સમા, સકલ વિશ્વમાં અભિરામ એવા, સમર્પિત શ્રમણ શ્રમણ-શ્રાવક-શ્રાવિકાજનના આત્માના સાચા વિરામરુપ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નિકટના પિરચયે સુવિશુદ્ધ ધર્મ માર્ગ પામેલા શ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના સુપુત્ર શ્રી કલ્પનેશભાઇ જરીવાળાએ પૂર્વકાલીન મહામહિમ ચિરંતનાચાર્ય ભગવંતે રચેલા પંચસૂત્ર' ગ્રંથનું સંપૂર્ણ પ્રકાશન નિજદ્રવ્યથી કરીને અપૂર્વ શ્રુતભક્તિ કરી છે. પ્રભુ માર્ગથી પીછે હઠ કરતું અને પશ્ચિમી સંસ્કૃતિના વિનાશક વાયરાને અનુસરતું સમસ્ત જગત ત્રસ્ત છે... વિશ્વની ટોચ કક્ષાની ચિકિત્સાલય કે ચિકિત્સક પણ જે આરોગ્ય આપવા માટે નિષ્ફળ પૂરવાર થાય એવા અપૂર્વ ભાવ આરોગ્યની ભેટ સમસ્ત જગતને આપીને પંચસૂત્ર કાર મહર્ષીએ જગત ઉપર કલ્પનાતીત ઉપકાર કર્યો છે... પ્રાકૃત-સંસ્કૃત ગિરામાં ગુંથાયેલી આ કૃતિનો લોકભોગ્ય ભાષામાં અનુવાદ કરાનારા પ્રવ્રજ્યા અર્ધ શતાબ્દિના ધારક જિનાજ્ઞા મર્મ ગ્રાહી પ્રજ્ઞા સંપન્ન