________________
પંચસૂત્ર
૨૩
પહેલું સૂત્ર
अणुत्तरपुन्नसंभारा, खीणरागदोसमोहा, अचिंतचिंतामणी, भवजलहिपोआ, एगंतसरणा, अरहंता सरणं । ॥५॥
'जावज्जीवं मे भगवंतो अरहंता सरणं' इति योगः । 'यावज्जीवं' यावज्जीवितं 'मे' मम 'भगवन्तः' समग्रैश्वर्यादियुक्ताः 'अर्हन्तः शरणम्' इति योगः । अत्र ‘यावज्जीवं' इति कालपरिमाणं, परतो भङ्गभयात्, न पुनरवधित्वेन परतोऽप्यधिकृतशरणस्येष्ठत्वात् । एत एव विशेष्यन्ते'परमत्रिलोकनाथाः', परमाश्च ते दुर्गतिभयसंरक्षणेन त्रिलोकनाथाश्च, अत्र त्रिलोकवासिनो देवादयः परिगृह्यन्ते । एत एव विशेष्यन्ते-'अनुत्तरपुण्यसंभाराः'
अनुत्तरः सर्वोत्तमहेतूत्कर्षात् 'पुण्यसंभारः', तीर्थकरनामकर्मलक्षणो येषां ते, तथा । त एव विशेष्यन्ते-'क्षीणरागद्वेषमोहाः', क्षीणा रागद्वेषमोहा अभिष्वङ्गाऽप्रीत्यज्ञानलक्षणा येषां ते तथा । त एव विशेष्यन्ते 'अचिन्त्यचिन्तामणयः' चिन्तातिक्रान्तापवर्गविधायकत्वेन । त एव विशेष्यन्ते 'भवजलधिपोताः' तद्वदुत्तारकत्वेन । त एव विशेष्यन्ते-'एकान्तशरण्याः' सर्वाश्रितहितत्वेन । क एवंभूताः ? किं वा एते ? इत्याह-'अर्हन्तः शरणम्' तत्राशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणाम्, पूजामर्हन्तीत्यर्हन्तः, ते मम 'शरणम्' आश्रय इति ।
સૂત્રાર્થ– પરમ ત્રિલોકનાથ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, ક્ષીણ રાગદ્વેષ-મોહ, અચિંત્ય ચિંતામણિ, સંસાર રૂ૫ સમુદ્રને પાર પામવા વહાણ, એકાંતે શરણ કરવા લાયક અરિહંત ભગવંતો જીવનપર્યત મારું શરણ છે મારો આશ્રય છે.
ટીકાર્ય-પરમ ત્રિલોકનાથ- દુર્ગતિના ભયથી સંરક્ષણ કરનારા હોવાથી ભગવાન પરમ છે. (ભગવાનના શરણે રહેલો જીવ દુર્ગતિમાં ન જાય એથી તેને દુર્ગતિનો ભય ન હોય) ત્રણ લોકમાં રહેનારા દેવ વગેરેના સ્વામી હોવાથી ભગવાન ત્રિલોકનાથ છે. | સર્વોત્તમ પુણ્યસમૂહવાળા- અહીં તીર્થકર નામકર્મરૂપ પુણ્યસમૂહ વિવક્ષિત છે. આ પુણ્યસમૂહ સર્વોત્તમ છે. કેમ કે એ પુણ્યસમૂહ પુણ્યબંધનો જે સર્વોત્તમ હેતુ, એ હેતુના ઉત્કર્ષથી બંધાયેલ છે. (તીર્થકર નામકર્મ રૂપ પુણ્યના બંધનો હેતુ સર્વ જીવોને શાસનરસિક બનાવવાની ભાવના છે. પુણ્યબંધના બધા હેતુઓમાં ૧. જુઓ યોગ બિંદુ ગાથા ૨૮૫ થી ૨૮૮.