________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
અને વિતમોહને નમસ્કાર થાઓ. જેનાથી આત્મા અપ્રીતિવાળો બને તે દ્વેષ. દ્વેષ એટલે કેષવેદનીય કર્મ. કારણ કે ષવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે અપ્રીતિના પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા અપ્રીતિ થવીતે ષ. દ્રષદનીય કર્મથી ઉત્પન્ન કરાયેલો ભાવ અપ્રીતિના પરિણામ રૂપ જ છે.
એ પ્રમાણે જેનાથી આત્મા અજ્ઞાની બને તે મોહ. મોહ એટલે મોહદનીય કર્મ. કારણ કે મોહdદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે અજ્ઞાનતાના પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા અજ્ઞાનતા એ મોહ છે. મોહ મોહનીય કર્મથી ઉત્પન્ન કરાયેલ અજ્ઞાનતાના પરિણામ રૂપ જ છે.
(રાગ, દ્વેષ અને મોહ (=અજ્ઞાન) એ ત્રણમાં અજ્ઞાન દોષ વધારે ભયંકર છે. કારણ કે અજ્ઞાનતાના કારણે રાગ અને દ્વેષની ભયંકરતા સમજાતી નથી. રાગદ્વેષ શત્રુ હોવા છતાં અજ્ઞાનતાના કારણે મિત્ર દેખાય છે. અજ્ઞાનતાના કારણે જે હિતકર છે તે અહિતકર દેખાય છે, જે અહિતકર છે તે હિતકર દેખાય છે, જે દોષરૂપ છે તે ગુણરૂપ દેખાય છે, જે ગુણરૂપ છે તે દોષરૂપ દેખાય છે. જે સુખકર છે તે દુઃખકર દેખાય છે, જે દુઃખકર છે તે સુખકર દેખાય છે.)
સર્વજ્ઞ– જે અવીતરાગ જ હોય તે સર્વજ્ઞ ન થાય. એ જ રીતે જે અવીતષ જ હોય અને અવતમોહ જ હોય તે સર્વજ્ઞ ન થાય, અર્થાત્ વીતરાગ, વીતષ અને વિતમોહ બન્યા વિના સર્વજ્ઞ બની શકાય નહિ. સર્વને જાણે તે સર્વજ્ઞ. (ભૂતભવિષ્ય-વર્તમાનના સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને જાણે તે સર્વજ્ઞ.) તેમને નમસ્કાર થાઓ.
પૂર્વપક્ષ- જે વીતરાગ હોય તે સર્વજ્ઞ જ હોય. આથી વીતરાગ એમ કહેવાથી સર્વજ્ઞ એવું વિશેષણ જણાઇ જ ગયેલું છે.
ઉત્તરપક્ષ જે વીતરાગ હોય તે સર્વજ્ઞ જ હોય એવો નિયમ નથી. કેમકે જે જીવો છઘ0 વીતરાગ છે તે જીવો સર્વજ્ઞ નથી. (અગિયારમા અને બારમા ગુણસ્થાને રહેલા જીવો છઘસ્થ વીતરાગ છે અને તેરમા ગુણસ્થાને રહેલા જીવો સર્વજ્ઞ વીતરાગ છે.)
પૂર્વપક્ષ- જો એમ છે તો “સર્વજ્ઞ' એ જ વિશેષણ મૂકવાનું, “વીતરાગ' એવું વિશેષણ મૂકવાની જરૂર નથી. કારણ કે જે સર્વજ્ઞ હોય તે વીતરાગ હોય જ. એથી સર્વજ્ઞ એમ કહેવાથી વીતરાગ એમ કહેવાઈ જ જાય છે.)
ઉત્તરપક્ષ– એમ ન કહેવું. કેમકે જે જીવો વીતરાગ ન હોવા છતાં સકલ