________________
પંચસૂત્ર
૧૭૯
ચાર ભાવનાના સોળ ભેદો
અનુભવતા જીવને મનુષ્ય-દેવ ગતિમાં સર્વ ઇંદ્રિયોને ખુશ કરે તેવું થોડું ઘણું સુખ છે એવું જોવા છતાં તેની અસારતા અને ક્ષણિકતાને લીધે તેની ઉપેક્ષા
કરવી. આ નિર્વેદસાર ત્રીજી ઉપેક્ષા જાણવી. (૪) તત્તસાર- વસ્તુનો સ્વભાવ જેનો સાર-નિષ્કર્ષ હોય તે ઉપેક્ષા તત્ત્વસાર
જાણવી. જેમ કે સારી કે ખરાબ વસ્તુ વાસ્તવમાં રાગ-દ્વેષનું કારણ નથી, પરંતુ પોતાનું મોહનીય કર્મ તેનું કારણ છે. મોહનીય કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાના અપરાધની વિચારણા કરતો જીવ બાહ્ય વસ્તુના અપરાધને જોતો નથી. તેવું ન જોવાથી બાહ્ય પદાર્થમાં સુખકારણતાનો કે દુઃખકારણતાનો તે આશ્રય નથી કરતો. આમ બાહ્ય પદાર્થને સુખ-દુઃખનું કારણ ન માનવાથી મધ્યસ્થતાને ધારણ કરતા જીવની ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. (વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી કૃત ષોડશક ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી થોડા શાબ્દિક ફેરફાર સાથે સાભાર ઉદ્ધત).