________________
પંચસૂત્ર
૧૧૯
પાંચમું સૂત્ર
કેવળ જીવ છે, જવા આદિની ક્રિયાથી રહિત છે, સ્વભાવમાં સ્થિત=સ્વભાવ સિદ્ધ ધર્મવાળો છે, એથી જ અનંતજ્ઞાનવાળો અને અનંત દર્શનવાળો બને છે. જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત બને છે. એ વિષે કહ્યું છે કે-જેમ બીજ સર્વથા બની જતાં તેમાંથી અંકુરો ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવરૂપ અંકુરાની ઉત્પત્તિ થતી નથી.
શેય અનંત હોવાથી જીવ અનંતજ્ઞાનવાળો છે. જીવનો અનંત જ્ઞાન જ સ્વભાવ છે. કહ્યું છે કે-“જીવ તત્ત્વથી શુદ્ધ એવા પોતાના સ્વરૂપથી ચંદ્રના જેવો (નિર્મલ) છે. તથા જીવનું કેવલજ્ઞાન વગેરે વિજ્ઞાન ચંદ્રની જ્યોત્રના જેવું છે. જ્ઞાનાવરણ કર્મ વાદળસમૂહ જેવું છે.”
૨. સિદ્ધમાં શબ્દાદિ ન હોય. अथ कीदृशोऽसौ वर्णरूपाभ्याम् ? इत्याशङ्कापोहायाहसे न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे ॥२॥
स सिद्धः न शब्दो, न रूपं, न गंधो, न रसो, न स्पर्शः, पुद्गलधर्मत्वादमीषाम् ।
સૂત્ર-ટીકાર્થ– સિદ્ધનો જીવ રૂપ-રંગ કેવો હોય એવી આશંકાને દૂર કરવા માટે કહે છે-તે સિદ્ધ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. (અર્થાત્ સિદ્ધમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય.) કારણ કે શબ્દ વગેરે પુલના ધર્મો છે.
૩. સિદ્ધો અભાવરૂપ નથી. अरूवी सत्ता अणित्यंत्यसंठाणा, अणंतविरिआ, कयकिच्चा, सव्वाबाहाविवज्जिआ, सव्वहा निरविक्खा, थिमिआ, पसंता ॥३॥
अभावस्तीत्येतदपि नेत्याह- अरूपिणी सत्ता ज्ञानवत् । अनित्थंस्थसंस्थाना, इदंप्रकारमापन्नमित्थं, इत्थंस्थितमित्यंस्थं, न इत्थंस्थं अनित्यंस्थम्, संस्थानं यस्य । अरूपिण्याः सत्तायाः सा यथोक्ता । अनन्तवीर्या इयं सत्ता प्रकृत्यैव । तथा कृतकृत्या तन्निष्पादनेन निवृत्ततच्छक्तिः, सर्वाऽऽबाधाविवर्जिता द्रव्यतो भावतश्च । सर्वथा निरपेक्षा, तच्छक्त्यपगमेन । अत एव स्तिमिता प्रशान्ता सुखप्रकर्षानुकूला निस्तरङ्गमहोदधिकल्पा ।