________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
एतद्भावे लिङ्गमाह- अत्र विराधनायां सत्यां मार्गदेशनायां पारमार्थिकायामनभिनिवेशः शृण्वतो भवति, हेयोपादेयतामधिकृत्य यथाह-समेषु स्खलनन्धबधिरवन्मूकवच्च रूपादिषु, तथासंमोहादिति।
સૂત્ર-ટીકાર્ય માર્ગગામી જીવને અધ્યયનની અનર્થમુખવાળી (=ઉન્માદાદિ અનર્થ કરનારી) વિરાધના થવા છતાં. 'અર્થહેતુ છે.
( ૨ ગુરુતરાષાપેક્ષાર્થg =) ઉન્માદાદિનું થવું એ અનારાધનારૂપ મોટા દોષની અપેક્ષાએ અર્થહેતુ છે, અર્થાત્ પરંપરાએ મોક્ષનું જ કારણ છે. કારણ કે તે જીવે મોક્ષપ્રયાણનો પ્રારંભ કરી દીધો છે. આ વિષે માર્ગમાં જનારા કાંટો, જવર અને મોહથી યુક્ત પુરુષોનું દૃષ્ટાંત છે. કહ્યું છે કે-મુનિની મોક્ષમાર્ગમાં દોષવાળી પણ જે પ્રવૃત્તિ થઇ રહી છે તે જ પ્રવૃત્તિ સાચા માર્ગમાં જઇ રહેલા કંટક, વર અને મોહથી યુક્ત પુરુષની જેમ (પરંપરાએ) મોક્ષનું જ કારણ બને છે.
ભાવાર્થ- જેમ કે કેટલાક મુસાફરો પાટલિપુત્ર જવા માટે ચાલ્યા. તેમાંથી કેટલાક કાંટો વાગવાથી કાંટો કાઢવા માટે રસ્તામાં રોકાયા, કેટલાક તાવ આવવાથી રોકાઇ ગયા, કેટલાક દિશાનો ભ્રમ થવાથી બીજા રસ્તે ચાલ્યા, પછી પાછા સાચા માર્ગે આવી ગયા. ત્રણ પ્રકારના મુસાફરોને પાટલિપુત્ર પહોંચવામાં ક્રમશઃ અધિક વિલંબ થયો. આ ત્રણે પ્રકારના મુસાફરોને પાટલિપુત્ર પહોંચવામાં વિઘ્ન આવ્યું. તેમાં કાંટાવાળાઓને જઘન્ય, તાવવાળાઓને મધ્યમ અને દિશાભ્રમવાળાઓને ઉત્કૃષ્ટ વિઘ્ન આવ્યું. તેવી રીતે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારા સાધકોને પણ તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી ત્રણ પ્રકારનો અંતરાય થાય. એ કર્મોદય પૂર્ણ થતાં ફરી મોક્ષમાર્ગની સાધના કરીને મોલમાં જાય છે.
માર્ગગામી જીવની વિરાધનાનું લક્ષણ કહે છે-વિરાધના થયે છતે માર્ગગામી જીવ (સાચા) માર્ગની દેશના સાંભળતો હોય ત્યારે તેને પારમાર્થિક મોક્ષમાર્ગની દેશનામાં હેય-ઉપાદેયપણાને આશ્રયીને અનભિનિવેશ (=આગ્રહનો અભાવ) હોય.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જે હેય છે તે આપણાથી આચરાય જ નહિ ૧. જેમ વેપારી વેપાર કરે, તેમાં કદાચ કોઇ વખત થોડી ખોટ પણ જાય, પણ સરવાળે લાભ
થાય, તેમ મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થયેલાને વિરાધના થાય તો પણ પરિણામે લાભ જ થાય. આથી તેની વિરાધના પરિણામની દષ્ટિએ અર્થહેતુ છે.