SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ အ၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇ હવે હદલ-વિહલ સિંચાનક હાથી ઉપર બેસીને તે ખાઈ પાસે આવ્યા એટલે તે હાથી વિસંગજ્ઞાનવાળો છે. માટે આગળ પગ મુકતે નથી. તે હલ વિહલે તે હાથીને ઘણે નિર્ભ , કે આ વેળાએ તું ચાલતું નથી ? શું રણથી કાયર થયે ? એક તારે માટે તો અમે પરદેશ આવ્યા. બધાને વિગ થયે. ચેડા રાજાને મહાકષ્ટમાં નાખે, આટલા લકે ક્ષય થયું. તેથી જે તારા કરતાં કૂતરે પાળે હેત તે સારું થાત ? જે માટે તું આજ અમારા કામમાં પાછાં પગલાં લે છે તે સારું નથી. એવું સાંભળીને હાથીએ હલ-વિહલને નીચે ઉતારી મૂક્યા. પછી પિતે ખાઈમાં ઝંપાપાત કરી, મરીને પહેલી નરક નારકીપણે ઉત્પન્ન થયે. તે દેખીને કુમારે વિચારવા લાગ્યા હા ! હા ! ધિક્કાર પડે આપણને? જે માટે આપણે જ પશુ છીએ. પણ એ હાથી કાંઈ પશુ ન હતું. જે હાથી માટે માતામહને કષ્ટમાં નાંખ્યા તે હાથી મરી ગયે, હજી લગી દુબુદ્ધિના ધણ અમે જીવીએ છીએ. એ સર્વ નાશના કરનાર આપણે થયા. માટે હવે આપણે જીવવું સારૂં નથી. અને કદાચિત છવિએ તે શ્રી વીર વર્તમાન સ્વામીના શિષ્ય થઈને છવિએ. પણ અન્યથા ન જીવવું. એમ વિચારે છે. એટલે તે ભાવસાધુને શાસનદેવતાએ ત્યાંથી ઉપાડીને પ્રભુ પાસે મૂક્યા. તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. એટલું થયું તે પણ વિશાલા નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને શુભ છે, તેના પ્રભાવથી કેણિક વિશાલા નગરી લઈ ન શકે. પણ કેણિક છે કે જે એ નગરીમાં ગરજે કરી હલ ન ફેરવું તે ઝુંપાપાત કરીને મરૂં. અથવા અગ્નિમાં પેસીને મરૂં. એવી પ્રતિજ્ઞા કરી તે પણ નગરી લેવાઈ નહિ ત્યારે કેણિક ખેદ ધરવા લાગ્યા, એવામાં આકાશવાણી થઈ કે જે માગધિકા વેશ્યા સાથે કુલવાલક મુનિ-(સાધુ) રમે તે વિશાલા લેવાય. એવી વાત સાંભળીને કેણિક આશાવંત થશે. અને જાણ્યું કે આ આકાશવાણું નિષ્ફળ જાય નહિ.
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy