SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞા હેવાથી બીજુ બાણ કેણિકની ઉપર ન મૂક્યું. સંગ્રામથી નીકળીને પાછો ઠેકાણે આવ્યું. બીજે દિવસે પણ એ જ રીતે બાણ ખાલી ગયું. એમ દિન દિન પ્રત્યે બન્ને જણનું પરસ્પર ઘેર યુદ્ધ પ્રવત્યું. બેઉના લશ્કરમાં થઈને એક કોડ ને એંશી લાખ મનુષ્યને ક્ષય થા. તે સર્વ નરક અને તિર્યંચમાં ઉત્તપન્ન થયા. હેમચંદ્રાચાર્ય કૃત શ્રી વીરચરિત્રાનુસારે એ પાઠ છે. અને પ્રતિક્રમણ સૂત્રવૃત્તિને અનુસાર તે મહાશિલાકંટક સંગ્રામને વિષે નવ લાખ મનુષ્ય તે એક માછલીની કુખે ઉત્પન થયા છે. શ્રી ભગવતીસૂત્રને અનુસાર દશ હજાર મનુષ્ય એક માછલીની કુખે ઉત્પન્ન થયા છે. એ મતાંતર છે. અહીં શ્રી વીરચરિત્રને અનુસારે સામાન્ય પ્રકારે બે સૈન્યમાં થઈને એક કોઢને એંશી લાખ મનુષ્યને ક્ષય થયે, કહ્યો છે. અને શ્રી ભગવતીસૂત્રને અનુસાર મહાશિવાટકસંગ્રામ અને રથયુશલ સંગ્રામમાં એ બંને સંગ્રામમાં પણ એટલા જ મનુષ્યને ક્ષય કહ્યો છે. હવે અઢારગણુ રાજા સર્વ પિત પોતાના નગરે જવાને ઈચ્છતા જાણીને ચિડા રાજા નાસીને પિતાની નગરીમાં પેઠે તે જોઈ નગરીને કેણિકે વધાવી લીધી. તે વારે હલ તથા વિહલ રાત્રે શુરવીર થઈ સિંચાનક હાથી ઉપર બેસીને બહાર નીકળી લેકને મારી મારીને નાસી આવે. પણ કેઈથી પકડાય નહિ. ત્યારે કેણિક મંત્રીશ્વરને કહેવા લાગ્યું કે, આપણું બધું લશ્કર તે હલ-વિહલે ઉપદ્રવ્યું, માટે એને જીતવાને ઉપાય વિચારે. ત્યારે મંત્રીશ્વર બોલ્યા કે જ્યાં સુધી એ હાથી હેય ત્યાં સુધી એને કઈ રીતે ન છતાય. માટે હાથીને મારે, તેને ઉપાય એ છે કે, તેના માર્ગમાં એક ખાઈ બનાવવી, તેમાં ખેરના અંગારા ભરીને તે ખાઈ ઢાંકી મૂકવી. જેથી તે જણાય નહિ. પછી તે હાથી ઉતાવળે આવતાં ખાઈની અંદર પડશે. એટલે બળી જશે. એમ સાંભળી હલ-વિહલને આવવાને માગે એ જ રીતની ખાઈ બનાવી ખેરના અંગારા ભરીને ઉપરથી ઢાંકી મૂકી. . destestestestostestestadestas destestadesstastasestestosadestastasestesteslasastadesteste sosesteste tastasadadestastetosededede.de
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy