________________
၀၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇
અસંભવિત વાત કેમ બની ? અથવા દુષ્કર કમ ના વેગથી શું ન સાંભવે ? એમ કરતાં રાત્રી પડી. દિશાએ સર્વ શ્યામતા પામી. સહુ પંખી પિતપોતાના માળામાં આવીને બેઠા. એવા અવસરે ભારંઠ પક્ષી પોતાને ઠેકાણે તે જ વડ ઉપર ભેગા મળીને વાત કરે છે કે, જે કેઈએ કાંઈ અચરિજ દેખ્યું હોય તે કહી સંભળાવે. ત્યારે એક ભારડ પંખી છે, અહીંથી પૂર્વ દિશાએ ચંપાનગરીને વિષે જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તેને પુષ્પાવતી નામે પુત્રી છે. તે જીવિતવ્યથકી પણ અધિક વહાલી છે. સુંદર સુરૂપવતી ચેસઠકળામાં પ્રવિણ છે, પણ નેત્રને અભાવે તેની સર્વકલા ફેગટ છે. રાજાને મહાફિકર ચિંતા છે, તેથી રાજાએ પડતો વગડાવ્યું કે જે કે એ રાજ કન્યાને દેખતી કરે, તેને હું તે કન્યા પરણાવું, અને અધુ” રાજ્ય આપું. તે સાંભળી અનેક દેશના વિવિધ ઉપાયના જાણ પુરુષ ત્યાં મલયા છે. તેમણે ઘણા ઉપાય કર્યા પણ અંશમાત્ર ગુણ ન થયે. તે માટે તે ચિંતાએ પીડિત રાજા છે. યતઃ
बिन्दुना ह्यधिका चिंता-चिता चिंता समा नहि ।
चिता दहति निर्जीब, चिंता जीवंतमप्यहो ॥३८॥
પણ રાજા નિરંતર નગરમાં પડહ વગડાવે છે. હવે કાલે તે સવા રના પહોરે રાજા રાણી અને પુત્રી એ સહુ કાષ્ટભક્ષણ કરશે. પછી ન જાણે કે શું બનશે ? તે માટે પ્રાતઃકાલે તે અમારે ત્યાં જવું છે તે સાંભળી એક નહાન ભારંઠ પંખી બોલે કે હે તાત ! એની આંખો સાજી થાય, એ કેઈ ઉપાય હશે ? ત્યારે વૃદ્ધ ભાખંડ પંખી બોલ્ય. જાતિ અંધને યે ઉપાય તે પણ મંત્ર ઔષધિને અચિંત્ય મહિમા છે. ત્યારે લઘુ ભારંડપક્ષી છે કે હે તાત ! મને કહે કે એ કેમ સાજી થાય ? તેને વૃધે કહ્યું કે હે વત્સ ! રાતે વાત કરવી નહીં!
યત
दिवा निरीक्ष्य वक्तव्य', रात्रौ नैव च नैव च . संचरति महाधूर्ताः स्थाने स्थाने विशेषतः ॥३९॥
dadadadestastasestustestadestustesttageste destustestostestostudestacadededededodestostestedadlastestestade destacadosedddd