SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જાજરમાન न तेन वृद्धो भवति, येनास्ति पलित शिरः॥ युवापि गुणवान् यो नै, तमेव स्थविर विदुः ॥ १ તે કુમારના ગુણ ઘણું છે, પરંતુ તે સર્વમાં દાનને ગુણ વિશેષ છે. યાચક આવ્યા જુએ એટલે ગજ અશ્વાદિકની કીડા સર્વ મૂકી દે, અને યાચક ન આવે ત્યારે તે દિવસને તૂટેલી તિથિની જેમ માને. હવે તે કુમારને નામથી તે સજજન પણ સ્વભાવે દુર્જન એ દુષ્ટ એક ચાકર છે. તે ચાકરને કુમારે વધાર્યો પણ તે કુમારનું જ બુરૂ ચિંતવે. તે પણ કુમાર તેને છોડે નહીં, એક દિવસ રાજા કુમારના વિનયાદિક ગુણ જોઈ હર્ષ પામ્યા. તેથી બહુ મૂલ્યવાળે એક હાર કુમારને આપે. એવામાં કઈ યાચક મળે ત્યારે તે હાર તે યાચકને કુમારે આપે. તે સર્વ વાત સજજને જઈને રાજાની આગળ કહી. રાજાને રીસ ચડી. પછી એકાંતમાં કુમારને કહ્યું, હે કુમાર? તને ઘડ૫ણ આવ્યા વિના ગુણે કરી ઘડપણ આવ્યું છે. તે પણ હું એક વાત કહું તે સાંભળ. - આ રાજ્ય તારૂં છે માટે દિવસે દિવસે રાજ્ય વધારીએ, પ્રમાદ ન કરીએ, હંમેશા સાવધાન રહીએ, કેઈને વિશ્વાસ ન કરીએ. તું ડાહ્યો છે, નિપુણ છે, યદ્યપિ દાનગુણે સર્વોત્તમ છે, તે પણ થોડું થોડું દાન આપીએ. “અતિ સર્વત્ર વર્જયેત” તે માટે દ્રવ્યનું રક્ષણ કરીએ. દ્રવ્ય હોય તે સર્વત્ર આદર પામીએ. તે એવા દુર્લભ દ્રવ્યને જેમ તેમ ન વાપરવું. તે સાંભળી કુમાર વિચારવા લાગ્યું કે હું ધન્ય છું, જે પિતાએ મને શિખામણ આપી ! એમ વિચારી પિતાના સ્થાનકે જઈ થોડું થોડું દાન આપવા માંડયું. ત્યારે સર્વત્ર અપવાદ તેને ચા. યાચકેએ મળી કુમારને કહ્યું, હે કુમાર? તું ચિંતામણિ સરખો થઇને અટલ કાટલા સરખે કેમ થયું ? જગતમાં દાન શ્રેષ્ઠ છે. જેઓ દાન નથી આપતા તેની લક્ષમી કઈ ભેગવે છે તો कीटिकासंचित धान्य, मक्षिका संचित मधु ॥ कृपणैः संचिता लक्ष्मी-रन्येनैवोयभुज्यते ॥१॥ • હળssessom sesseasoost
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy