SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ နေမှန်နနန ဖုဖုဖုဖုဖုဖိုနနလိုနီ પુરિમતાલ નગરમાં પ્રવર નામે કેઈ કુલપુત્ર હતા. પણ તેનું કુળ ઉચ્છિન્ન થયું છે. દરિદ્રતાથી ફરે છે. વળી અવિરતિને ધણી છે. કઈ વાતને નિયમ કર્યો નથી. સર્વભક્ષી હોવાથી જે હાથમાં આવે તે ખાય. એમ કરવાં, ખાધાને ધડે રહ્યો નહિં. તેથી તેને અજીર્ણ થયું. કેઢ રેગ થયે. કોઢીયાને જોઈને લેકે ધિક્કારે છે. એટલે નગરની બહાર નિકળે. ફરતાં તેણે કોઈ જગ્યાએ મુનિને જોયા. ત્યારે પૂછવા લાગે. હે ભગવાન ! મને કેઢ રોગ કેમ થયો ? એ રેગ કેમ નાશ પામે? ત્યારે ઋષિ બેલ્યા રે ભદ્ર ! અવિરતિ આત્મા હોય તે અવિપતિથી અસંતોષી હેય. તે કઈપણ સારા કાર્યમાં ન વાપરે તે વિરતિને લાભ ન થાય, કારણ કે દ્રવ્ય કોઈને ઘેર મૂકયું હોય તે વ્યાજ આવે અન્યથા ન પણ આવે. માટે વિરતિ કરે તે વિરતિને નફ થાય. જેમ એકેન્દ્રિય જીવ કંઈપણ પાપ ન કરે છતાં અવિરતિનાં કારણે પાપ ચાલુ જ હોય. અવિપતિએ તે જ્યાં ત્યાં ખાધા કર્યું જેથી કેઢ રોગ થયો છે. માટે વિરતિ કરે. ચાર આહારનું પરિમાણથી ભજન કરે તે રેગ ન થાય. પરમ કલ્યાણ થાય. તે સાંભળીને ગુરુનું વચન અંગીકાર કરી તે ગુરુને કહેવા લાગે. હે ભગવાન્ ! આજથી મારે એક અન્ન લેવું. એક વિનય વાપરવી. એક શાક વાપરવું. અચિત્ત પાણી વાપરવું એ પ્રમાણપત ભેજન કરીશ. ગુરુએ કહ્યું. બોલે તે પાળજે. પાળ્યાને માટે લાભ મળશે. ગુરુનું વચન પ્રમાણ કરીને ગયે. અનુક્રમે પૂર્વોક્ત વચન પ્રમાણે પાળતા. નિરોગી થયે. ત્યારે ધર્મને મહિમા જાણે. ધર્મ ઉપર આદર થયે. વ્યાપાર કરવા લાગે. ધર્મ પ્રભાવે કેરિટ ધન પામે. તે પણ ધર્મ અખંડ રીતે પાળે છે. સુખી થયે, ઈચ્છાને રોધ કર્યો. સુપાત્ર દાન આપે, દીન, અનાથને દાન આપે. એકતા દુર્મિક્ષ પડ્યો ત્યારે એક લાખ મુનિને એષણીય ઘતાદિકનું દાન તે. ગુપ્તદાન દઈને સાઘર્મિકની સેવા કરતે. એમ જાવજજીવ ધર્મ પાળી સૌધર્મ દેવલેકે દેવતા થયે. ત્યાં તે દેવપણે ભાવના ભાવે છે.
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy