SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ તથા તે પૂર્વભવે હિંસાની વિરતિ કરી, તેથી રાજા થયે. તે સાંભળી રાજાને જાતિસ્મરણજ્ઞાન થયું, જે કહ્યું તે પ્રત્યક્ષ દેખ્યું. હવે પસાય કરી મને સર્વ જીવના વધની વિરતિ કરાવે. તે સાંભળી ગુરુ બેલ્યા, હે રાજન સર્વ જીવની વિરતિ તે ચારિત્ર અંગીકાર કરે ત્યારે થાય. રાજા બોલ્યા, હે સ્વામિન ! રાજ્ય સ્વસ્થ કરીને દીક્ષા લઈશું. ત્યાર પછી રાજાએ, જયકુમારને રાજ્ય સોંપી વિજયકુમારને યુવરાજ પદવીએ થાપી અને પિતે દમસાર કેવલી પાસે દીક્ષા લીધી. તે તીવ્ર તપ તપીને સ્વર્ગે ગયા. અનુક્રમે મેક્ષે ગયા. તે એ હિંસાની ઉપર દેવપ્રસાદ, સામદેવ અને વામદેવની કથા શ્રી સુમતિનાથ ચરિત્રમાં છે. હવે ત્રીજું પદ કહે છે. તે ઘેરા પરમ વંધે. પ્રેમરાગ એટલે નેહરાગ ઉપરાંત કેઈ ઉત્કૃષ્ટ બંધન નથી, એટલે સ્નેહરાગ તે મોટું બંધન છે. તે ઉપર આદ્રકુમારને સંબંધ કહે છે. સમુદ્ર મધ્યે અદ્રપુર નામે નગર છે. ત્યાં આદું નામે શા રાજય કરે છે. તેને આદ્રા નામે જાય છે. તેને આદ્રકુમાર નામે પુત્ર થયે. તે રાજાને એક દિવસ શ્રેણીક રાજાએ ભેટશું કહ્યું. તે લેણું દેખીને આદ્રકુમારને પૂછયું, એ ભેટ કેનું આવ્યું છે? સજા છે, મારા મિત્ર શ્રેણીક રાજા છે. તેણે મંત્રી સાથે ભેટશું કહ્યું છે. ત્યારે કુમારે તે મંત્રીને પૂછયું કે તમારા રાજાને કઈ ગુણવાન પુત્ર છે? મંત્રી છે. અભયકુમાર છે. તે સાંભળી અભયકુમારને ચેમ્પલેટાણું મે કહ્યું. તથા પત્ર આપ્યો. અભયકુમારે વિચાર કર્યો કે મારી સાથે મિત્રાઈ કરવા ઈચ્છે છે. અને મારી સાથે જે મિત્રોઈ બાંધે તે અવશ્ય સમક્તિ પામે છે. એમ પ્રભુજીએ કહ્યું છે. તે માટે કઈ આસન્નસિદ્ધિ લઘુમી જીવ દેખાય છે. પણ પાછલે ભવે વ્રત વિરાષિને આવ્યા છે. તેથી અનાર્ય દેશમાં ઉપજે છે. ઇત્યાદિક વિચારીને આભરણ, ઉપકરણ, સહિત એક ઇષભદેવની પ્રતિમા પેટીમાં મૂકીને પિતાના પુરુષ સાથે પ્રતિબંધવા માટે આદ્રકુમારને મોકલી. આદ્રકુમારે પણ એકાંતે જઈ અપૂર્વ ભેટ જાણીને પેટી ઉઘાડી. ત્યારે તે જિન પ્રતિમા દેખીને વિચારવા ૧૮ ૨૭૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy