SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૯૦૧ છે. આ રીતે ઘણા ઉપદેશ આપ્યા, ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યુ હે મુનિરાજ! આપે જે કહ્યું તે સત્ય છે. હું સમજી' છુ` કે મારા ચૌદ રત્ના, નવનિધિ, ચેાસઠ હજાર રાણીઓમાંથી એક પણ રાણી કાઈ મારી સાથે આવનાર નથી, પણુ માહથી ઘેરાયેલા છું તેથી છેડી શકતા નથી. ચિત્તમુનિ વિચારે છે કે આ ચારિત્ર અંગીકાર કરી શકે તેમ નથી તે તે સ'સારમાં રહીને પણ આત્માનું કલ્યાણ કરે તેવા ધર્માંપદેશ આપું. જેમ વહેપારીને ત્યાં ગ્રાહક આવે તે તે સૌથી પહેલા તે 'ચામાં ઉંચી કવાલીટીને માલ ખતાવે છે છે પણ ખરીદી કરનાર ગ્રાહક એમ કહે કે આવે! "ચે માલ ખરીદવાની મારામાં શક્તિ નથી ત્યારે વહેપારી એને મધ્યમ કે હલકી કવાલીટીના માલ બતાવે છે. પેાતાની દુકાને આવેલા ગ્રાહક પાછો ન જાય તે માટે વિવિધ પ્રકારના માલ બતાવે છે. આવી રીતે ભગવાનના સંતા પણ પેાતાની પાસે આવેલા આત્માઓને સૌથી પ્રથમ જલ્દી આત્મકલ્યાણ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્રના 'ચા માલ બતાવે છે. તેમાં જો કોઈ હળુકમી જીવ હાય તા એ માલ ખરીદી લે છે જે જીવા ચારિત્ર મા` અ'ગીકાર કરવા શક્તિમાન ન હેાય તેને માર વ્રતના માલ ખતાવે છે. જે ચારિત્ર અંગીકાર કરી શકે નહિં તેણે ખાર વ્રત તેા અ'ગીકાર કરવા જોઈ એ, અને એટલી પણ જેનામાં શક્તિ ન હાય તેણે માર વ્રત પૈકી એક વ્રત તા અવશ્ય અગીકાર કરવું જોઈએ. ખાર વ્રતમાંથી એક પણ વ્રત જે જીવ ખરાખર પાલન કરે તે પણ એનું કલ્યાણુ થાય છે, શાંતિનાથ ભગવાનના જીવ જ્યારે મેઘરથ રાજા હતા ત્યારે એમણે એક વ્રત અંગીકાર કર્યું' હતું કે મારે જીવ હિ'સા ન કરવી અને શરણે આવેલા જીવનુ' રક્ષણ કરવુ'. એ તનુ' મેઘરથ રાજા ખરાખર પાલન કરવા લાગ્યા ત્યારે દેવલાકમાં એમની પ્રશસા થઈ. મિથ્યાત્વી—ઈર્ષ્યાળુ દેવા મનુષ્યેાની પ્રશ'સા સહન કરી શકતા નથી. એક મિથ્યાત્વી દેવ મેઘરથ રાજાની પરીક્ષા કરવા માટે મૃત્યુલેાકમાં આન્યા. એણે એક પારધીનુ રૂપ અનાવ્યું, અને એક પારેવાનુ રૂપ બનાવ્યુ' અને ભયથી ફફડતુ' પારેવુ' બનીને મેઘરથ રાજાના શરણે આવ્યુ'. થોડી વારમાં પારધી મેઘરથ રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે મહારાજા ! એ મારા શિકાર છે મને પાછો આપી દો, ત્યારે મેઘરથ રાજાએ કહી દીધું કે શરણાગતને શરણુ આપવુ. એવું મારે વ્રત છે, માટે તું જે માંગે તે આપવા તૈયાર છું પણ પારેવુ તને નહિ આપું, ત્યારે પારધીએ કહ્યું તમારે જેમ વ્રત તેમ મારે પણ મારા કરેલા શિકારનું ભક્ષણ કરવુ' એવુ' વ્રત છે, માટે મારો શિકાર મને પાછે આપી દો. રાજાએ કહ્યું કે નહિ આપું ત્યારે પારધીએ કહ્યું કે તે તમારા શરીરમાંથી પારેવા ખરાખર માંસ આપો. મેઘરથ રાજા એ આપવા તૈયાર થયા પણ પારેવુ. પાછુ' ન આપ્યું. પેાતાના શરીરમાંથી માંસ કાપીને આપે છે ત્યારે પારધીએ .
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy