SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદિ ૮૯૯ ચૈતન્ય ગુણ તા વિદ્યમાન હોય જ. જેના હૃદયમાં આવી દૃઢ શ્રદ્ધા છે તે જીવ વીતરાગ કથિત વાણી સાંભળીને જીવનમાં તેનુ' આચરણુ કરી શકે છે. જે જીવા સસાર સુખના વિષયેામાં આસક્ત બનેલા છે તેમને વીતરાગ કથિત ધર્મ પર રૂચી થતી નથી. રૂચી જાગે તે સુખ અને દુઃખ અને અવસ્થામાં ધ ગમે છે, પણ જેને સ'સારના સુખા તરફ ગાઢ રૂચી છે તેમને ધર્માંના પંથે વાળવા પ્રયત્ન કરીએ તેા કદાચ ધમ કરે ખરા પણ્ સ'સાર સુખની આકાંક્ષાથી કરે છે. આવા જીવા ધીખ હોવા છતાં દયાને પાત્ર છે. જ્ઞાની કહે છે કે ધમ કરો તે સમજપૂર્વક કરો. ભાગના રોગ ભાગથી શાંત નહિ થાય. જેમ કેાઈ બાળકને 'ટાટીયેા (માટી ઉધરસ) થયેા હાય સાકર કે પતાસું ખાવા માટે ગમે તેટલુ' રડે તે શુ' તેની માતા આપશે ખરી ? ના સંગ્રહણીના દદી દૂધ પીવા માંગે તે તેના હિતસ્ત્રીએ આપશે ખરા ? ‘ના.’ કેમ નથી આપતા ? કદીએ પ્રત્યે કરૂણા છે. તે વસ્તુએ તેના રોગ ઉપર ઝેર જેવી છે, માટે તેનુ હિત ઈચ્છીને આપતા નથી, તેમ સદ્ગુરૂ તમારી સાચી માતા બનીને ભવરાગની વૃદ્ધિ ન થાય તે માટે ભેગ વિષયાદિ અપથ્યકારી વસ્તુઓનુ સેવન કરવાની તમને ના પાડે છે. ધના ઉપદેશક સતાએ કરેલી દયા એ ફક્ત દ્રવ્ય દયા નથી પણ ભાવ દયા છે, જે આત્મા એમ સમજે છે કે ધમ એ મેાક્ષમાં જવા માટે ઉત્તમ સાધન છે તે સાચા જ્ઞાની છે. જ્યાં સુધી સ`સાર દાવાનળ જેવા ન લાગે અને મેાક્ષની રૂચી ન જાગે ત્યાં સુધી બધુ' એકાર છે, માટે આ સ'સારનુ` ભયાનક સ્વરૂપ નિહાળીને મેાક્ષની રૂચી પ્રગટાવા. તમને ભૂખ ન લાગે તે ભસ્મ તથા દવાઓ ખાઈને ખાવાની રૂચી થાય તેવા પ્રયત્ન કરે છે ને? ‘હા.' તે તમે મોક્ષની રૂચી કેમ નથી જગાડતા ? તમે મોક્ષ તે ઈચ્છો છે ને ? કોણ સુજ્ઞ માણસ મોક્ષ ન ઈચ્છે ? આ ચતુતિમય સ ́સારમાં જન્મ-મરણ–રોગ-શાક-દુર્દશા, પરાધીનતા વિગેરે વેઠવાનુ` કાને ગમે ? મોક્ષ એટલે સંસારથી છૂટકારો પામવાની ઇચ્છા હાય. આટલે સુધી તે ખરાખર પણ હવે એ કા શુ' મોક્ષ પામવાની ઉતાવળ છે? તમારા જીવન જોતા એમ લાગે છે કે તમને માક્ષની ઈચ્છા છે પણ ઉતાવળ નથી. તે શુ' તમને લાગે છે કે ઉતાવળ આવ્યા વિના એ માટેના જોરદાર પ્રયત્ન થશે ? ઢીકરી મોટી થાય તે દીકરીના લગ્ન લેવાની ઉતાવળ લાગે છે ત્યારે ધમાધમ થાય કોટમાં જવાની કે ગાડી પકડવાની ઉતાવળ હેાય તા ઝટપટ એની તૈયારી થાય છે, ત્યારે જમવાનું કે આરામ લેવાના પણુ મોહ છેડી દેવાય છે. એમ જો તમને મોક્ષ પામવાની ઉતાવળ હાય તા એની જોરદાર તૈયારી શરૂ કરા. મોક્ષ જવાની ઉતાવળ લાગશે તેા પછી સ’સારના સુખ સગવડ જતા કરવા પડશે તે જતા કરશે, એ જતા કરતા આંચકા નહિ આવે કે દુઃખ પણુ નહિ લાગે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy