SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ શારદા સિદ્ધિત ખાપને દાન કરતા જોઈને દીકરાના હૈયા તા બળીને ખાખ થઈ જાય છે કે અહા! આપણે જાત ઘસી નાંખીએ છીએને ખાપ તા પૈસા ઉડાવે છે. જુએ, સંસારી જીવાની કેવી દશા છે કે જે ભવિષ્યમાં મહાન સુખ આપનાર મુકૃત છે તેના પ્રત્યે અણગમો છુટે છે અને જે અ`કામની વાત ભવિષ્યમાં લાત મારનાર છે અને વહાલથી ભેટે છે.” હવે તેા શેઠની બીજી ધર્મક્રિયાઓ પણ દીકરાઓને ખૂ`ચવા લાગી. તેમણે ચાખ્ખા શબ્દોમાં કહી દીધુ કે બાપાજી ! પૈસા કમાતા કેટલી મહેનત પડે છે? ત્યારે બાપા કહે છે દીકરાઓ ! તમે શા માટે આટલી બધી હાય બળતરા કરે છે ? લક્ષ્મી જેમ જેમ દાનમાં વાપરીએ તેમ વધુ મળે છે. તમે બેઠા બેઠા ખાશેા તે પણ ખૂટે તેમ નથી, શેઠ ઘણું સમજાવે છે પણ હવે છેાકરાએ બાપની વાત સાંભળવા તૈયાર નથી. એ તે એક જ કહે છે કે દાન દેવાનું અ'ધ કરો, પણ શેઠને તા દાન કરવાનું વ્યસન પડી ગયુ` હતુ` એટલે કોઈ આવીને ઉભા રહે કે તેને આપવાનુ` મન થઈ જાય. હવે તે છોકરાઓને કલેશ ખૂબ વધી ગયો. તેઓ બાપાને કહે છે કે તમારે આ બધ' કરવુ... હાય તા ઘરમાં રહો નહિતર ઘર છેાડીને ચાલ્યા જાઓ, ત્યારે બાપે કહ્યું આ ઘર કોન્રુ છે? આટલું બધુ ધન તમે કયાંથી લાવ્યા ? એ તે મે' તમને આપ્યુ છે, ત્યારે છેકરાઓ કહે છે કે પૈસા આપ્યા એથી શું થઈ ગયુ? હવે આમ નિહ ચાલે. જો આ રીતે રહેવું હોય તે આ ઘરમાં નહિ રહેવાય. આ રીતે છેકરાઓએ ત્રણ ચાર વખત કહ્યુ' એટલે શેઠને લાગી આવ્યુ, તેથી * શેઠે કહી દીધું કે આ તમારુ ઘર, તમે તમારે બધા સુખેથી રહેજો. હુ' ઘર છેડીશ પણ ધ નહિ છેડું. મને જે મળશે તે હુ' વાપરીશ. બે આના મળશે તેા એક અને પણ દાનમાં વાપરીશ. એમ કહીને શેઠ કઈ પણ લીધા વગર ઘરની બહાર નીકળી ગયા. શેઠ ચાલ્યા પણ ચારમાંથી એકે ય દીકરો કે દીકરાની વહુ શેઠને જતા રોકવા ઉઠયા નહિ. અરે, દીકરાની વહુ તે ન ઉઠયા પણ ખુદ શેઠાણી પેાતાના પતિને પાછા વાળવા ન ઉઠી. એ તા ઉપરથી ખેલવા લાગી કે મારા દીકરાને ભિખારી કરવા ઉડયા છે. ભલે જતા. એમને રહેવું હેાય તે દાન દેવાનું અધ કરી દે. ઘરનુ એક પણુ માણુસ શેઠને પાછા વાળવા ન ઉઠયુ. ત્યારે શેઠની આંખડી ખુલી ગઇ કે અહા! આ સ’સાર કેવા સ્વાÖમય છે! તેએ મનમાં વિચારવા લાગ્યાં કે “મે... જાતને ભૂલીને જગતને વહાલુ કર્યુ. એનું ફળ મને જગતે ચખાડયુ. આ જીવ જગતને સુધારવામાં પેાતાનું ઉત્તમ જીવન બરબાદ કરી રહ્યો છે. એ એની મૂર્ખાઈ છે.” એથી જ મારે। આ વખત આવ્યેા. હું એ બધાની પાછળ અરમાદ થઈ ગયે પણ કાંઈ મારુ' ન થયુ. બીજા બધા તા ઠીક પણ મારી પત્ની પણ મારી ન થઈ. સંસારમાં કોઈ કોઈ નું નથી. ફક્ત જિનેશ્વર ભગવાન મારા છે. જગત મારુ' તે શુ' પણુ ફાઈનુ" થયું નથી ને થવાનું નથી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy