SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શારદા સિદિ તમે હિંદુસ્તાન ગયા હતા તે! તમે ત્યાંથી અમારા માટે શુ લાવ્યા ? મારે બાળકો માટે શું લઈ જવુ? આમ વિચાર કરતા ચાલ્યા જતા હતા, તેમાં એણે એક સુદર કેરીઓના ટા પલા. જોયો ત્યારે ફકીરના મનમાં થયું કે મારા દેશમાં કેરી મળતી નથી, માટે આ બે આનાની કેરીઓ લઈ જાઉં. એણે તે બે આનાની કેરીઓ ખરીદી લીધી. એ રૂમાલમાં બાંધીને પાતાના દેશ તરફ ચાલ્યું. અ'ધુએ ! આ ફકીરને મન નીતિના બે આનાની કિ'મત નથી. એણે તા માન્યું હતુ કે આ બે આનાને શુ કરવા છે? આનાથી મારુ દરિદ્ર કઈ ટળી જવાનુ` નથી પણ હવે જુએ એ ગ્યાસુદ્દીન બાદશાહની નીતિની કમાણીના પૈસા શું કમાલ કરે છે ? ફકીરે તેા પાકી કેરીઓ લીધી હતી. એ તે કેટલા દિવસ રહી શકે? હિંદુસ્તાનમાંથી ઈરાનમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તે બગડી જાય ને ? થોડા દિવસમાં ઈરાન પહોંચી ગયો. જઈને પેલી પાટલી છેોડીને જોયું તેા કેરીએ બગડી ગઈ હતી. એમાંથી ગંધ આવતી હતી. એવી કેરીઓને ફકીરે એક ખૂણામાં ફેંકી દીધી. આ અરસામાં ઈરાનના બાદશાહુ એકાએક બિમાર પડયા. એમના શરીરની ચિકિત્સા માટે મોટા મોટા વૈદો અને ડોકટરો આવ્યા પણ કાઈ રાજાના રોગ પારખી શકતુ નથી. ગમે તેટલી સારામાં સારી દવા આપે છે પણ કઈ રીતે રાજાના રોગ મટતા નથી, પણ વધતા જાય છે, ત્યારે માટા હકીમાને તેડાવવામાં આવ્યા. હકીમેાએ રાજાના રોગનુ નિદાન કરીને કહ્યું કે જહાંપનાહ ! આપને રોગ પકડાઈ ગયા છે ને એ મટી જશે એ વાત નકકી છે પણ એ માટે કેરીની ગોટલીની જરૂર છે, પણ એ કેરીના ફળા આપણા દેશમાં થતા નથી. એ હિંદુસ્તાનમાં ખૂબ થાય છે. એ ફળના ઝાડને આંખે કહેવામાં આવે છે. જો એ આંબાના ઝાડના ફળની ગેાટલી મળે તે આપને રોગ નાબૂદ થશે, માટે આપ ગેટલી મેળવવા જલ્દી તજવીજ કરી. હકીમેાએ કેરીની ગોટલીથી રોગ મટશે એમ કહ્યું એટલે તરત રાજાએ પેાતાના ગામમાં ઢ'ઢેરો પીટાબ્યા કે જે કોઈ માણસ ૨૪ કલાકમાં કેરીની ગોટલી લાવી આપશે તેને રાજા સે ગામ ઈનામમાં આપશે. હિંદુસ્તાનમાં ગોટલી લેવા જાય ત્યાં સુધી તે રાજા જીવી શકે તેમ ન હતું એટલે ગેાટલીની જલ્દી જરૂર હતી, પણ જે દેશમાં કેરીના પાક જ ન થતા હાય ત્યાં ગેાટલી કયાંથી મળે ? ત્યાં ગેટલી મળવી મુશ્કેલ હતી, પણ મહમદશાહ કીરને ખૂબ આનંદ થયા. એણે ખૂણામાં જે કેરીએ ફેંકી દીધી હતી તેમાંથી કેરીના ગેાટલા સાફ કરી તેમાંથી ગેાટલી કાઢી. પછી ગેાટલી લઈને ઝડપભેર રાજા પાસે હાજર થયા. ગેટલી મળતા રાજાને ખૂબ આન' થયા ને હકીમેા પણ રાજી થઈ ગયા ને ખૂબ ઉત્સાહથી રાજાની દવા કરવા લાગ્યા. થેાડા દિવસોમાં રાજાના રોગ નાબૂદ થયેા અને રાજા સાવ સાજા થઈ ગયા. અદ્દશાહ સાજા થયા કે તરત પેાતાના વચન પ્રમાણે ફકીરને ખેલાવીને સે ગામ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy