SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ શારદા સિદ્ધિ યુદ્ધ થયું. એમાં કરોડો નિર્દોષ માણસાના ખૂન રેડાયા, છતાં કોણીકને ન મળ્યો હાથી કે ન મળ્યો હાર અને જીવાની ઘેાર હિંસા થઈને પાપના ભાતા બંધાયા. બધું બનવાનુ` મૂળ કારણ તે સ્ત્રી જ ને! કૈકેયી રાણી પણ એની દાસી મંથરાની ચઢવણીએ ચઢી ગઈ અને એના કહેવાથી દશરથ રાજાએ રામચ'દ્રજીને જે દિવસે રાજતિલક થવાનુ હતું તે દિવસે વનવાસ આપ્યો. આનું મૂળ કારણ પણ સ્ત્રી છે. જે સ્ત્રીની ચઢવણીથી ચઢયા છે એણે તે મહાન અન કર્યાં છે. હું પણ એમાંના જ એક છું. અરેરે.... ભગવાન ! મારું' શું થશે ? આમ કહીને જોરજોરથી રડવા લાગતા. આ રીતે હિરસેનની સ્થિતિ ખૂબ કરૂણાજનક બની ગઈ. “ નગરજને ચિંતામાં'' :– આખા નગરમાં હાહાકાર મચી ગયો કે આપણું શુ થશે ? આ વિચારમાં આખી નગરીના માણસોએ વહેપાર ધંધા છોડી દીધા ને કંઇક નગરજનાએ તે જ્યાં સુધી ભીમસેન રાજા પરિવાર સહિત ન આવે ત્યાં સુધી આયંબીલ કરવા, એકાસણાં કરવા, એકાંતર ઉપવાસ કરવા એવા નિયમ લીધા ને પ્રભુને પ્રાથના કરતા ધર્મધ્યાન કરવા લાગ્યા. ભીમસેન રાજાએ માકલેલા બે ગુપ્તચરોએ ઉજ્જૈનીમાં આવીને આ બધી હકીકત મેળવી લીધી, પછી પાછા ફર્યાં ને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પાછા પહોંચી ગયા, અને ભીમસેન રાજાને બધી હકીકત વિગતવાર જણાવતાં 'કંહ્યુ કે નરેશ ! આપની ઉજ્જૈની નગરી આજે ન ધણીયાતી જેવી બની ગઈ છે. રાજ્યના વહીવટ તે માટા ભાગે પ્રધાન સભાળે છે. રાજા હરિસેન, પ્રધાન અને પ્રજા આપને ઝ ંખે છે, માટે હવે આપ જલ્દી પધારો. આ પ્રમાણે ગુપ્તચરાએ સમાચાર આપ્યા. આ તરફ ઉજ્જૈની નગરીમાંથી પણ ઘણાં સુભટને ભીમસેનની શોધમાં મોકલ્યા છે. ભીમસેનને પેાતાના ભાઈની કરૂણાજનક સ્થિતિ સાંભળીને ખૂબ દુઃખ થયું છે. હવે તેઓ ઉજ્જૈની જવા માટે તૈયારી કરશે. દેવસેન અને કેતુસેન તે રાહુ જોઈ ને બેઠા છે. હુવે શુ બનશે તેના ભાવ અવસરે. Es વ્યાખ્યાન નં. ૮૨ આસા વદ ૬ ન ગુરૂવાર તા. ૧૧-૧૦-૭૯ ભગવંતા જગતના જીવાનુ બતાવતા ખેલ્યા કે હે જીવે ! અન"ત કરૂશુાસાગર સંજ્ઞ અને સર્વૈદશી તીર્થંકર કલ્યાણુ કેવી રીતે થાય ને પાપ કેવી રીતે દૂર થાય તે દુઃખનું મૂળ પાપ પ્રવૃત્તિ ને સુખનુ` મૂળ ધમ પ્રવૃત્તિ છે, એટલે કે ધર્મારાધના કરવાથી સુખ મળે છે ને પાપકમ કરવાથી દુઃખ મળે છે. ગત ભવામાં કરેલી દુષ્કૃત પ્રવૃત્તિથી આ ભવમાં પાપ એછું કર્યું. હાવા છતાં દુઃખ આવે છે માટે જ્યારે જ્યારે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy