SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદિ પ દેહમાં હંસલા ટકી રહ્યો હાય એમ ગુરૂદેવના ખેાળામાં માથુ‘મૂકી રડતાં રડતાં જ પરમ'સમુનિએ પ્રાણ છોડી દીધા. હરિભદ્રસૂરિને માટે તા જાણે ઘા ઉપર મીઠુ` ભભરાવ્યુ` હાય એવા આઘાત લાગ્યા. અહા ! ભવિષ્યમાં શાસનના સ્થંભ બનનારા, જિનશાસનને ઉજ્જવળ કરનારા એવા મારા શિષ્ય રત્ના આમ ચાલ્યા ગયા! આવા વિચારે એમનુ મન બેચેન બની ગયું. એક દિવસ શાસનદેવીએ હરિભદ્રસૂરિને કહ્યું કે વિદ્વાન શિષ્યોના વિરહની વ્યથાને શાંત કરો.” આપ તે। મહાજ્ઞાની છે. આપને શું કહુ? પણ આપને એક વાત જણાવી દઉ' કે આપના ભાગ્યમાં હવે કોઈ શિષ્ય પ્રાપ્તિ નથી. આ વિરહ વ્યથાને શાંત કરવા માટે આપ નવા નવા ગ્રંથાના નિર્માણ રૂપ સ્વાધ્યાયમાં લાગી જાએ તે આપને ખૂબ શાંતિ મળશે, ત્યાર પછી હરિભદ્રસૂરિજીએ ઘણાં ગ્રંથા રચ્યા છે. એમ કરવાથી એમના આત્માને પરમ શાંતિ મળી. '' ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે હે રાજન્! તુ' જેમાં સુખ માને છે એ સુખ સાચું સુખ નથી. સંસારના કણ જેટલા સુખની પાછળ મણ દુ:ખાની ફાજ દોડતી આવે છે. એટલે કે સ'સારના પ્રત્યેક સુખની પાછળ દુ:ખ હાય છે. જેવી રીતે વરસાદની પાછળ કાદવ, ગુલાબની પાછળ કાંટા, પાણી હોય ત્યાં શેવાળ હાય છે, તેવી રીતે સંસારમાં એક સુખની પાછળ દુઃખ ડોકિયા કરતું હોય છે. સંસારનું સુખ તુચ્છ ને ક્ષણિક છે. આવા સુખમાં ઉન્મત્ત બનીને તું મને કહે છે કે તમને મારા જેવું સુખ નથી મળ્યું? તમારી કરણીનુ ફળ કયાં ગયું કે તમારે સાધુપણું લેવુ પડયું ? તા સાંભળ. મને સુખ ન્હોતુ. મળ્યુ. એટલે હુ' સાધુ બન્યા છુ' એમ નથી. જીવે જે કર્યાં કર્યાં છે તે ભેગળ્યા વિના. ત્રણ કાળમાં મેક્ષ થતા નથી. એક સંસ્કૃત શ્ર્લાકમાં પણ કહ્યું છે કે ये नास्ति, कल्पकेोटि शतैरपि । अवश्यमेव मेातव्यं कृत कर्म शुभाशुभम् ॥ કરેલા કર્મો કદી પણ કરાડો શત કલ્પકાળમાં પણ ક્ષય પામતા નથી. ચાહે તે શુભ હાય કે અશુભ, એનું ફળ તા અવશ્ય જીવને ભાગવવું પડે છે, માટે હે ચક્રવતિ ! આવા મમં પુળ હોવેવ । મારે આત્મા પણ ઉત્તમ દ્રવ્ય કામ રૂપ અથવા જન પ્રાનીય રૂપ શબ્દાર્દિકાના ભાગ દ્વારા પુણ્ય ક્ળાથી યુકત છે. શુભ અશુભ કર્યા ગત કાળમાં, ન છૂટકે બધુ ભાગવ્યા વિના, ફળ સુપુણ્ય તણાં મુજને મળ્યા, સુખ વિલાસની ઉણપ ના રૃપ. બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવવાના શુભ આશયથી ચિત્તમુનિએ કહ્યું હે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ જીવને પાતાને ભાગવવું પડે છે. શુભ કર્મોના સંચય કર્યાં હાય તે સુખ અને અશુભ કર્મોના સંચય કર્યાં હોય તો દુઃખ ભોગવવું પડે છે પણ કરેલા કમેમાં ભાગળ્યા વિના જીવના છૂટકારો નથી. આ એક અટલ સિદ્ધાંત રાજન્ !
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy