SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ મારા સિિ ૬૩૯ સાધનામાં છે. રત્નત્રયીની નિળ સાધનાથી જીવને મેક્ષ મળે છે, માટે સદ્ગુરૂ પાસે આવીને વિનય અને બહુમાનપૂર્ણાંક રત્નત્રયીનુ સ્વરૂપ સમજો. રત્નત્રયીના મહિમા શુ છે તે જાણા. રત્નત્રયી એ માનવજીવનનું સારભૂત તત્ત્વ અને શાશ્વતધન છે. એ આત્માને પરમ શ્રેયકારી છે, માટે ભાવનિદ્રાને ત્યાગ કરીને જેમ બને તેમ જલ્દી રત્નત્રયીની ઉપાસના આરાધના કરી લે. રત્નત્રયીની આરાધના કરનાર ચિત્તમુનિ બ્રહ્મદત્તને કહી રહ્યા છે કે હે રાજન્! તમે નિયાણું કરીને જ્ઞાન, તપ અને સંયમની સાધના દ્વારા મળતી આત્માની શાંતિ ગુમાવી દીધી. તમારી કરણી માત્ર ચક્રવતિ પદ મળે એટલી જ ન હતી પણ મેાક્ષના મહાન સુખ અપાવે તેવી હતી પર'તુ તમે નિયાણુ' કરીને એક ચક્રવતિ પદ મેળવવા માટે બધી ઉત્તમ સાધના ગુમાવી દીધી, અને દેવલાકમાંથી ચવીને મનુષ્યભવ પામીને ચક્રવતિ' અન્યા છે. પૂર્વના નિયાણાના કારણે આપણે આ ભવમાં જુદા પડયા છીએ. આ પ્રમાણે ચિત્તમુનિના જવાબ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ` શુ` કહે છે. सच्च सायप्पगडा, कम्मा मए पुराकडा । ते अज्ज परिभुंजाम, किं नु चिते वि से तहा ॥ ९ ॥ હે ચિત્તમુનિ ! તમે એમ કહેા છે કે પૂČભવમાં મે... અને તે સાથે દીક્ષા લીધી હતી, અને તપ, જપ આદિ અનુષ્ઠાના સાથે કર્યાં હતા તે પછી જો એમ જ હોય તે હું પૂર્વભવમાં મૃષાવાદનો ત્યાગ કરીને સત્ય ખેલ્યા, માયાકપટ રહિત શુદ્ધ જીવન ગુજાર્યુ, માસખમણને પારણે માસખમણ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી એના શુભ કળા હુ આજે ભાગવી રહ્યો છુ. પણ હે ચિત્તમુનિ ! તમે આવી દશા કેમ પામ્યા? તમે કરેલા શુભ કર્મો કયાં ચાલ્યા ગયા કે તમારે ઘરઘરમાં ટુકડા માંગીને ખાવાનો વખત આવ્યા! ચક્રવર્તિના વચન સાંભળીને મુનિ કહે છે ભાઈ! તુ આવી ભાષા ખેલીને પાપ ન બાંધ. આ ગૌચરી કરવી એટલે ઘરઘરના ટુકડા માગવાના નથી પણ ગૌચરીથી તેા મહાન કર્મોની નિર્જરા થાય છે ને આત્મા સુગતિને મેળવે છે, તમે જે સંસાર સુખમાં રામ્યા છે ત્યાં તે પાપ, પાપ ને પાપ જ છે. ર્હિંસાદિ અઢાર પાપનું સેવન કરી કના કોથળા ભરશેા તેા એ કર્મીની સજા ભાગવવી પડશે, પછી એમાંથી તમારો છૂટકારો નહિ થાય. પાપ કરીને માલ લાવશે। તમે, ને માલપુઆ ઉડાવશે ખીજા. એ ખાસ યાદ રાખજો. એક વખત એક ગામના રાજાના મનમાં થયું કે હું મારી પ્રજાને માલપૂ ખવડાવું. શ્રીમંતા તે ખાય છે પણ ગરીબેને કોણુ ખવડાવે ? તેથી આખા ગામમાં ઘર દીઠ બબ્બે માલપુઆ આપવાનુ નકકી કરીને એ પ્રમાણે માલસામાન મંગાવ્યા, અને માલપૂઆ બનાવવા માટે કોઈને લાવ્યા. કંદોઈએ માલપુઆ બનાવવા માટે બેઠા છે, ચાખ્ખા ધીના મઝાના ધીથી લસલસતા માલપુઆ અની રહ્યા છે. માલપૂ ચારાઈ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy