SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ રિતા સિદ્ધિ પિતે જ છું. હું રાત્રે એ જોવા માટે નીકળ્યું હતું કે મારી પ્રજામાં અમીરી અને સજજનતા કેટલી છે. તમારે ઘેર આવતા પહેલાં હું દશા શ્રીમતના બંગલા ખખડાવીને આવ્યું હતું પણ મને કોઈ એ આશ્રય ન આપે. માત્ર તમે જ આપે. તમારી સજ્જનતા અને ગરીબીમાં પણ આવી ઉત્તમ અમીરી જોઈને ખૂબ આનંદ થયો. મને સંતોષ થયો કે મારી પ્રજા આવી ગરીબીમાં પણ અમીરી બતાવી શકે છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયે છું. એમ કહીને બાબાને સારા મૂલ્યવાન વસ્ત્રો અને દાગીનાથી શણગારી દીધે, અને લાખે ની મિલ્કત આપી એની ગરીબાઈ ટાળી દીધી. ઝૂંપડીમાંથી શહેરમાં લઈ જઈને એક સારું મકાન બંધાવીને રહેવા આપ્યું ને ભાઈને પિતાના રાજયમાં સારા હોદ્દેદાર તરીકે નિમણુંક કરી. ગરીબ માણસ મહાન સુખી થઈ ગયે, પણ એનામાં નામ માત્ર અભિમાન ન આવ્યો કે ન તે પોતાની અમીરી છેડી. જીવનભર એણે દુઃખીની સેવા કરીને પિતાનું જીવન ઉજજવળ બનાવ્યું. બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના ભાઈને શેધવા માટે અડધો કલેક બનાવી આપવા માટે જાહેરાત કરાવી છે. બીજી તરફ ચિત્તમુનિ કે જેમનું નામ અહીં ગુણસાર છે. એ ગુણસાર ખૂબ ધનવાન કુટુંબમાં જન્મ્યા છે. એમણે એક જ વખત શુભચંદ્ર નામના આચાર્યના મુખેથી જિનવાણું સાંભળીને એમને વૈરાગ્ય આવ્યે ને મહાન સુખ સંપત્તિને ત્યાગ કરીને સંયમ લીધે. સંયમ લીધા પછી આ ગુણસાર મુનિરાજ ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં અનેક જીવને ધર્મને ઉપદેશ સંભળાવતા, ઘણું જીવનું કલ્યાણ કરાવતાં કરાવતાં એક દિવસ કાંપિલ્યપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. મુનિરાજ તે પિતાના આત્મભાવમાં, જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં રમણતા કરનાર છે. એમને જગતની પડી નથી. એમનું કામ તે માત્ર ને ધર્મને ઉપદેશ આપવાનું છે અને સ્વાધ્યાય, ધ્યાનમાં મસ્ત રહેવાનું. ત્યાં શું બન્યું. અધરા લોકની પૂર્તિ કરતા મુનિ” – એ ઉદ્યાનના એક સુંદર બગીચામાં જ્યાં મુનિરાજ ઉતર્યા હતા તે બગીચાને માળી રેંટ ચલાવીને કૂવામાંથી પાણી કાઢીને બગીચામાં રહેલા વૃક્ષેને પાણી સિંચી રહ્યો હતે. એ માળી પાણી સિંચતા સિંચતા બ્રહ્મદત્ત ચક્રવતિએ બનાવેલા અડધા કલેકનું રટણ કરતું હતું. આ રટણ બગીચામાં બેઠેલા મુનિરાજે સાંભળ્યું. સાંભળીને મનમાં થયું કે આ તે અમારી બે ભાઈની વાત છે. તે આ માળી કયાંથી જાણું ગ? મુનિએ એ માળીને પિતાની પાસે બેલાવી કહ્યું કે ભાઈ! આ તું શું બેલે છે? માળીએ કહ્યું- મહાત્મા! આ અડધે કલેક તે અમારા બ્રહ્મદત્ત મહારાજા જે ચક્રવતિ છે તેમણે બનાવ્યું છે ને એમણે જાહેરાત કરાવી છે કે જે માણસ શ્લેકને પૂરો કરી આપશે તેને અડધું રાજ્ય આપશે પણ હજુ સુધી કોઈએ આ લોક પૂરો કર્યો નથી. મોટા મોટા વિદ્વાને અને પંડિતેએ પણ આ લેક પૂરો કર્યો નથી. આ સમયે મુનિરાજે પેલા માળાને કહ્યું કે ભલે કઈ આ લેક પૂરો
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy