SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૯ સારુ' થશે. સુધીરને આવા નિયમ લેવડાવ્યેા. સુધીર દરરાજ આ રીતે કરે છે પણ એક દિવસ એવે આવ્યે કે કોઈ લેનાર ન મળ્યુ. ત્યાં ત્રણ વાગે એક ભિખારી નીકળ્યા. તેને લાવે છે ને આપવા તૈયાર થાય છે ત્યારે ભિખારી કહે છે કે હું મારી પત્નીને પૂછીને આવુ છુ. સુધીરે કહ્યું તું ભિખારી છે તે તારે લોટની જરૂર હશે જ ને ! એમાં પૂછવાનુ` શુ` ? ભિખારી કહે છે ના....મારી પત્નીની રજા સિવાય હુ· લોટ નહિ લઉં. હું પૂછીને તરત આવું છું. પેલો ગરીબ ભિખારી એને ઘેર ગયા ને પત્નીને પૂછ્યુ કે આપણાં ઘરમાં કેટલા દિવસ ચાલે તેટલું અનાજ છે ? પત્નીએ કહ્યુ` કે આજના દિવસ ચાલે એટલુ અનાજ છે, માટે આપણે આજે જરૂર નથી. ભિખારીએ સુધીર પાસે આવીને કહ્યું શેઠ ! અમારી પાસે આજના દિવસનુ છે માટે અમારે જરૂર નથી. સુધીર કહે ભલે રહ્યુ` પણ કાલે ચાલશે. ભિખારીએ હસતા હસતા કહ્યુ' શેઠ! અમે તે કાલની ચિ'તા કરતા જ નથી. ભિખારીની વાત સાંભળીને સુધીર મુગ્ધ બની ગયા કે આની પાસે કાંઈ નથી છતાં કાલની ચિંતા કરતા નથી અને મારી પાસે ચાર પેઢી ચાલે એટલું છે છતાં હુ રડુ' છું. ધિક્કાર છે મારી વૃત્તિને! ખરેખર સંતેષ રૂપી ધન એ સાચું ધન છે અને લક્ષ્મીના સંગ્રહ કરવાના આનંદ કરતા દાનનેા આનંદ શ્રેષ્ઠ છે. આવુ' સમજી સુધીર લક્ષ્મીને સદુપયેાગ કરવા લાગ્યા. એનુ' જીવન પલ્ટાઈ ગયુ. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. બ્રહ્મદત્ત ચક્રવતિની થયેલી જાહેરાત પ્રમાણે નાના મોટા બધા અડધા શ્ર્લોક લે છે. દરેકના મનમાં એવી ભાવના છે કે આપણે અડધા શ્લોક જોડીને અડધુ રાજ મેળવીએ પણ જ્યાં મોટા મોટા વિદ્વાને અને 'ડિતાની મતિ ચાલતી નથી ત્યાં બીજાની તેા વાત જ કયાં ? કઈ શ્લોકનું પદ જોડી શકતા નથી. આગળ શુ બનશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ- “ વગડામાં ભીમસેનના હૃપાંત. ” સંન્યાસી વિશ્વાસઘાત કરીને ચાલ્યેા ગયા, તેથી ભીમસેનને ખૂબ આઘાત લાગ્યા. તે એકલો બેઠો બેઠો અહ્સાસ કરવા લાગ્યા કે હાય વિધાતા! તેં મારી જિંદગી સાથે કેવી ક્રૂર રમત ખેલી ? આજે મારી જીતની બાજી હારમાં પલ્ટાઈ ગઈ છે. કેટલા કષ્ટ વેઠીને હું સન્યાસી સાથે ગયા હતા. મેં ભૂખ-તરસ, ટાઢ-તડકાની પરવા ન કરી. મેં ખૂબ સાવધાનીપૂર્વક વફાદારીથી એમને એમના કાર્યની સિદ્ધિમાં પૂરેપૂરો સાથ આપ્યા. એને મને આ જ બદલો મળ્યેા ! મારા પ્રયત્ન અને પ્રમાણિકતાનું આ જ પરિણામ ! હે ક`રાજા ! મારા કયા કર્મોની તું મને શિક્ષા ફટકારી રહ્યો છે? આ ભવમાં તે મે' ખૂબ શુદ્ધ જીવન વીતાવ્યું છે. ન્યાય અને નીતિથી મે રાજ્યશાસન કર્યુ છે. કોઈ ને પણ કષ્ટ ન પડે એ રીતે હુ જીવન જીવ્યેા છું. સ્વપત્નીમાં મે" સતેષ માન્યા છે. પરસ્ત્રીને મેં મારી માતા અને બહેન સમાન ગણી છે. વ્યસના અને ભભૂકતી વાસનાએથી હું સદાય ફ્ર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy