SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ - આ રીતે અનંતકાળ સુધી વિવિધ એનિઓમાં ભવભ્રમણ કરતા અને દુઃખ જોગવતાં જ્યારે વધારે અશુભ કર્મો ક્ષીણ થયાને શુભ કર્મોને ઉદય થ અથવા ત્યાં કાંઈ સુકૃતને વેગ મળતા પુણ્યને સંચય થયો ત્યારે અતિ પુણ્યના ભેગથી ચિંતામણી રત્ન કરતા પણ વધારે કિંમતી અને ઘણી મુશ્કેલીથી મળી શકે તે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા. આવા ઉત્તમભવમાં મનુષ્ય જાગૃત બનીને બને તેટલી આત્મસાધના કરી લેવી જોઈએ. જે આવું અમૂલ્ય જીવન પામીને કંઈ આત્મસાધના કરતું નથી, હિંસા જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ જેવા પાપકર્મોમાં રક્ત રહે છે તેને ઉપર કહી ગયા પ્રમાણે અનંત ભ કરવા પડે છે ને ભયંકર દુઃખો ભેગવવા પડે છે માટે આવું સમજીને પાપકર્મથી અટકે. માણસ પરિગ્રહની મમતાથી એક સામાન્ય ચોરી જેવું પાપ કરે છે તે પણ એને અહીં સરકાર પકડે છે ને ગુનાની સજા કરે છે તે પછી ભયંકર પાપકર્મોની પરભવમાં કેવી સજા ભોગવવી પડે ! એક શહેરમાં એક ગરીબ વિધવા માતાને એકને એક છોકરો હતે. માતા લકેના કામકાજ કરીને પેટ ભરતી હતી. આમ કરતા આ છોકરો બાર વર્ષને થયે ત્યારે એની માતા એને એક છાબડીમાં પૂરીઓ બનાવીને વેચવા મેકલતી. આ છોકરે જ્યાં માણસોની વધુ અવરજવર હોય ત્યાં જઈને પૂરીઓ વેચવા બેસતે. એમાંથી જે કંઈ ત્રણ ચાર આના મળે અને માતા લોકોના કામ કરે એમાંથી પિતાને નિર્વાહ કરતા. એક વખત ગામ બહાર મેળા જેવો પ્રસંગ હતો ત્યારે આ છોકરે પૂરીઓની છાબડી લઈને વેચવા ગયે. એક પથ્થરની શીલા ઉપર બેઠે. એક આનામાં બે પૂરી આપતે. નાના બાલુડાની કાલી બેલી સાંભળીને દયાળુ માણસો એક આનો આપીને બે પૂરી ખરીદતા ને પ્રેમથી ખાઈ જતા. છેક જે પૈસા આવતા તે બધા છાબડીમાં નાંખતે. એક આનામાં બે પૂરી આપતે એટલે લગભગ બધી આની ઓ ભેગી થઈ હતી. એની બધી પૂરીઓ વેચાઈ જવા આવી હતી. થોડી જ બાકી હતી. એ સમયે એક માણસ પૂરી ખરીદવા આવ્યું ત્યારે નાનકડા છોકરાની છાબડીમાં બધી આનીઓ જઈને એની દાનત બગડી. છોકરાને કહે છે-ભાઈ! તારી પૂરીને શું ભાવ છે? છોકરાએ કહ્યું એક આનાની બે પૂરી. શેઠ! હવે તે ચાર પૂરી છે. તમારે જોઈએ તે લઈ લે. છોકરાથી થોડે દૂર એક ગરીબ વૃદ્ધ માસ બેઠે હતે. એના સામું જોઈને કહે છે કે મારે પૂરી ખાવી નથી પણ સામે પેલો ગરીબ માણસ ભૂખે છે એને મારે પૂરી ખવડાવવી છે માટે તું એમ કર. આ ચાર પૂરી એને આપી આવ, પછી હું તને બે આના આપું છું ત્યાં સુધી હું અહીં ઉભે છું. છોકરે બિચારે ભદ્રિક હતે. એના મનમાં કે આ સજજન માણસ છે, કે દયાળુ છે કે ગરીબની દયા કરે છે, એટલે ખવડાવવા ગયે. ત્યાં પેલો માણસ છાબડીમાંથી આનીઓ લઈને પલાયન થઈ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy