SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શારદા સિદ્ધિ કરવાની બુદ્ધિ કેમ થઈ? આપ હવે વૃદ્ધ થવા આવ્યા છે છતાં હજી રાજસત્તાના માહ છેડતા નથી તેથી મને એમ લાગે છે કે આપના દોષ ગણાય. જો તમે તમારા પુત્રને રાજ્યના ભાર સોંપી દીધા હત તો એને આપનું ખૂન કરવાની બુદ્ધિ ન થાત. કારણ કે સંસારમાં દરેક જીવાને પરિગ્રહની મૂર્છા છે. કોઈના ઉપર મમત્વ ભાવ રાખવા જેવા નથી. जहाहि वित्तं पसवा य सव्वं, जे बंधवा जे य पियाय मित्ता જાળ સેવિયરૂ મોઢું, બન્નેકળા સંસિતિ વિત્તું સૂ. અ. ૧૦-૧૯ માતા-પિતા, બાંધવ, મિત્ર, પુત્ર આદિ સ્વજને અગર ધનસપત્તિ વિગેરે કોઈ આત્માને શરણભૂત થતા નથી. સુખ-દુઃખ પોતાને એકલા ભાગવવા પડે છે. પરભવમાં જીવ એકલો જાય છે. એમ સમજીને મનુષ્યે ધન-ધાન્ય, પશુ તથા સ્વજનેાના મમત્વને ત્યાગી, આરંભ પરિગ્રહના ત્યાગ કરી જ્ઞાન-દન-ચારિત્ર-તપની આરાધના કરવી જોઈએ. જીવા સ્વજન વિગેરે સંબધીના વિયેાગે રૂદન કરે છે ને મેહની વૃદ્ધિ કરે છે પરંતુ પેાતાના મૃત્યુ બાદ મરનારને ભૂલી સ્વજને આદિ તેના ધનને હરણ કરે છે. ધનને વહેચી લઈ આનંદ ભાગવે છે. મનુષ્યેા પેાતાના સ્વાર્થ માટે પ્રાણી જીવાની હિં'સા કરી કષ્ટ ભગવી ધન ઉપાર્જન કરી કની ગાંસડી બાંધી ધનને છેડીને પરલોકમાં ચાલ્યા જાય છે. સ્વામય સંબધીએ તેના જીવતા પણ ધનાદિમાંથી ભાગ પડાવે છે ને મરણ પછી પણ તેના ધનને ગ્રહણ કરી માજ ઉડાવે છે. મરનારને કોઈ સ્વજને યાદ કરતા નથી માટે આત્માથી જીવાએ ધર્મારાધન કરી આત્માની સાધના કરી લેવી જેથી ભવિષ્યકાળ સુખરૂપ બને અને શુભ ગતિ પ્રાપ્ત થાય. રાજાને શેઠની વાત ઉચિત લાગી, એટલે પોતાના પુત્રને રાજગાદી સેાંપી દીધી અને પેાતાના નિર્દોષ પ્રધાનની તપાસ કરાવીને માન સહિત રાજ્યમાં લાવ્યા. પ્રધાનજી આવ્યા એટલે શેઠે એમની મિફ્ત એમને પાછી સોંપી દીધી. બધુ ! આ શેઠ ધર્મિષ્ઠ હતા પણ દુ:ખમાં આવતા ઝેર પીને મરવા તૈયાર થયા હતા પણ ઝેરના પ્યાલો પીતા પહેલા ધનુ' શરણું લીધું', સામાયિક કરી તા માથે આવેલી આપત્તિ દૂર થઈ. શેઠે નિશ્ચય કર્યાં કે ધર્મે મને મરતા બચાવ્યેા ને મારી જતી ઇજ્જત રાખી તા હવે મારે મારા જીવનમાં વિશેષ ધર્મારાધના કરવી જોઈએ. રાજાને પોતાના પુત્ર તરફથી ફટકો વાગતા શેઠના સમજાવવાથી આંખ ખુલી ગઈ, પ્રધાન નિર્દોષ હેાવા છતાં અણુધારી ઉપાધિ આવી ગઈ તેથી એમની પણ આંખ ખુલી અને શેઠ ધર્મના પ્રતાપે મેટી આપત્તિમાંથી ખચી ગયા, એટલે આ ત્રણે આત્માએ સ્વજન, સ`પત્તિ અને સ'સારના મેહ છેડીને આત્મકલ્યાણ કરવા લાગ્યા. તમારે પણ આવા દૃષ્ટાંતા સાંભળીને અને તેટલો સ`સાર ઉપરથી રાગ ઘટાડવા જોઈએ. જો રાગ નહિ છેડા તા કર્મ બંધન વધવાના છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy