SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૮૯ “ દેશ માટે ખમીર ધરતો યુવાન” આવનાર ડેસ્વાર ચાલાક હતે. એણે પૂછયું કે ભાઈ! એવી તે તમારી કઈ મોટી આશા હતી કે જે ઉદયપુરમાં ન ફળી અને દિલ્હીમાં ફળશે? ત્યારે વહેપારીએ કહ્યું કે ઉદયપુરના મહારાજાની ખ્યાતિ સાંભળીને આવ્યું હતું ને ત્યાં ઘણી મોટી આશા લઈને ગયે હતે પણ મારા અત્તરની એક પણ બાટલી ત્યાંના મહારાજા ખરીદ કરી શક્યા નહિ, તે પ્રજા તે બિચારી કયાંથી ખરીદી શકે ? ત્યારે મારા મનમાં એમ થયું કે આવા અમૂલ્ય અત્તરે તે કઈ બાદશાહ જ ખરીદી શકે. આવા સામાન્ય રાજાનું શું ગજું ! માટે હવે હું દિહી જાઉં છું. આ સાંભળીને ઘોડેસ્વાર સમજી ગયો કે નક્કી અમારા મહારાજા પૈસાને આવા અત્તર જેવી મજશેખની ચીજમાં દુરૂપગ કરે તેવા નથી, માટે એનું અત્તર ખરીદ કર્યું નહિ હોય, પણ આ પરદેશી વહેપારી દિલહીમાં જઈને અકબર બાદશાહ પાસે મારા મહારાજાને કંજૂસ તરીકે જાહેર કરશે તે મારા મહારાજાની ઈજજત જશે, એટલે પિતાના દેશનું અને મહારાજાનું ગૌરવ વધારવા ઘેડેસ્વાર રેકડા પૈસા આપીને વહેપારીનું બધું અત્તર ખરીદી લીધું. યુવાનની દેશગૌરવતા” :- ડેસ્વારે બધું અત્તર ખરીદીને વહેપારીની નજર સમક્ષ પિતાના ઘડાને અત્તરથી નવડાવી દીધે, ત્યારે વહેપારીએ કહ્યું અરે! ભાઈ! આવા કિંમતી અત્તરોને તે આ શું દુરૂપયોગ કર્યો? હેસ્વાર કહે છે ભાઈ! દુરૂપયોગ નથી કર્યો પણ સદુપયોગ કર્યો છે. અમારા મહારાજા કંજૂસ નથી પણ તારા જેવા અત્તરથી તે અમારા ઉદયપુરમાં ઘોડાને સ્નાન કરાવવામાં આવે છે. આવા અત્તરની અમારા રાજ્યમાં કંઈ કિંમત નથી. અમારા રાજ્યમાં તે સત્ય, નીતિ, સદાચાર, શીલ અને અહિંસારૂપી કિંમતી અત્તરો વપરાય છે. એ અત્તરે આગળ તારા અત્તરની શી કિંમત ? આ શબ્દો સાંભળીને વહેપારીના આશ્ચર્યને પાર ન રહ્યો ને એના મુખમાંથી શબ્દો સરી પડયા કે ધન્ય છે મેવાડ તારી પવિત્ર ભૂમિને! એક યુવાને અત્તર ખરીધું છે તેવી જાણ થતાં ઉદયપુરના મહારાજાને ખૂબ ક્રોધ ચઢયે કે “જે અત્તર મેં ન ખરીધું તે અત્તર મારા હાથ નીચેના માણસે ખરીદ કરીને મારું ઘોર અપમાન કર્યું છે. તરત જ મહારાજાએ એને બેલાવીને કહ્યું કે મેં અત્તર ન ખરીધું તે અત્તર તે ખરીદીને મારું ભયંકર અપમાન કર્યું છે તે બદલ તને ફાંસીની શિક્ષા કરવામાં આવે છે, પેલો માણસ કહે છે, ભલે સાહેબ! ફાંસીની શિક્ષા ફરમાવશે તે હું ફાંસીએ ચઢવા તૈયાર છું પણ ફાંસીએ ચઢાવતા પહેલા તમે મારી એક વાત સાંભળી લો. એ માણસ પણ કંઈ રસ્તે રખડતે સામાન્ય ન હતું કે એમ રાજાને ગુસ્સે જોઈને ગભરાઈ જાય કે ફાંસીએ ચઢાવવાની બીકથી ડરી જાય. એણે મહારાજાને ધડાકાબંધ કહી દીધું-સહેબ! એ અત્તર મારા માટે નહિ પણ આપણુ મેવાડ દેશની રાજધાની ઉદયપુરનું નાક રાખવા અને મેવાડનું ગૌરવ વધારવા શા. ૬૨
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy