SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ શારદા સિદ્ધિ जयं चरे जयं चिडे, जयं मासे जय सए । નયં મુત્રન્તા મામંતા, વાવમં નવધ ।। દા. સૂ. અ. ૪ ગાથા ૮ સાધુ-સાવી કે શ્રાવક શ્રાવિકા ગમે તે હોય પણ જો તે યત્નાપૂર્વક ચાલે, ઉભા રહે, બેસે, સૂવે, ખાય અને બેલે તે એને પાપકર્મનું બંધન થતુ' નથી, માટે આ બધા કાર્યો આત્મકલ્યાણના ઈચ્છુક દરેક આત્માઓએ કોઈ પણ જીવની હિં`સા ન થાય તેની સાવધાનીપૂર્વક કરવા જોઈએ, તે એને પાપ ન લાગે. બાકી તે દરેક કાર્યોમાં પાપ રહેલું છે. સતીજીના આવા સચોટ ઉપદેશ સાંભળીને રવાભાઈના અ'તરમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. મનમાં એક વાત ઠસી ગઈ કે આત્મકલ્યાણ કરવુ હોય તે આવી દીક્ષા લેવી જોઈએ, પણ એમના પિતાજીને મૂળ ધમ સ્વામીનારાયણના હતા. તેએ બીજે દિવસે તે પાછા ગલિયાણા પેાતાને ઘેર આવી ગયા પણ એમને કયાંય ચેન પડતું નથી. એમના હૃદયરૂપી સીતારમાં સતીજીના સ્તવન અને ઉપદેશના સૂરા ગ્જી રહ્યા હતા. 66 કપાસ વીણતા જાગેલી વૈરાગ્યની યાત” :– આ સમયે ખેતરમાં રૂના કાલા વીણવાની સીઝન હતી, તેથી રવાભાઈ ધણુાં, માણસાને સાથે લઈને ખેતરમાં રૂના કાલા વીણાવા માટે ગયા. પેાતે રૂના કાલા વીણતા હતા ને બીજા પાસે વીણાવતા હતા. કપાસના છોડ ઉપર હસતા ને ખીલેલા રૂના કાલા વીણતાં વીણતાં રવાભાઈના મનમાં વિચાર આવ્યા કે અહા! પેલા સતીજી તેા એમ કહેતા હતા કે એક લીલું પાંદડુ તાડવામાં પણ પાપ છે, તો હું આટલા બધા કાલાને એના છેડ ઉપરથી તેડીને જુદા કરું છું તેા મને કેટલું બધું પાપ લાગશે! હવે આ કાલા મારાથી વીણાશે નહિ. એમ વિચાર કરી રૂના કાલા વીણવાનુ` કામ પડતું મૂકીને પોતે ઘેર આવ્યા ને એમના કાકા કાકીને કહ્યું હું મારા કાકા! આ સંસારમાં તે પગલે ને પગલે જયાં જુએ ત્યાં પાપ, પાપ ને પાપ છે. મારાથી હવે આ પાપથી ભરેલા સંસારમાં નહિ રહેવાય, માટે મારે તા જૈનના સાધુ બનીને આત્મકલ્યાણ કરવુ' છે. આપ મને સાધુ બનવાની રજા આપે. “સયમ સ્થાનની પરીક્ષા.”:-કાકા કાકીએ તેમને ખૂબ સમજાવ્યા પણ એ તા એમના વિચારમાં દૃઢ રહ્યા, ત્યારે કાકા કાકીએ જાણ્યુ કે હવે આ છોકરા સંસારમાં નહી' રહે, એટલે કાકાએ કહ્યું બેટા! તારે આત્મકલ્યાણ કરવુ છે તે ભલે ખુશીથી કર. અમારી ના નથી પણ આપણેા ધર્મસ્વામીનારાયણના છે માટે તું સ્વામીનારાયણ પથની દીક્ષા લે, તેથી રવાભાઈ સ્વામીનારાયણની ગાદીનું ગામ ગઢડા શહેરમાં આવ્યા. ત્યાં સ્વામીનારાયણના મંદિરમાં જઈને ત્યાંના મુખ્ય મહંતને મળ્યા. મહંતને વિનયપૂર્વક વ ંદન કરીને રવાભાઈએ પેાતાના મનની ઈચ્છા મહંત પાસે વ્યક્ત કરી. મહતે કહ્યુ ભાઈ તુ' કયાંથી આવ્યા છે? તારુ' નામ શું છે? ત્યારે રવાભાઈ એ (
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy