SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ શારદો સિદિ ૪૫૩ થયેલા આનંદ '' : ઓળખાણ થતાં કુમારને બ્રહ્મદત્ત કુમારને પરિચય સાંભળીને કન્યાને ખૂબ આન' થયા ને તેની આંખમાં હર્ષોંના આંસુ ઉભરાયા. તે કુમારના ચરણમાં પડીને કહેવા લાગી કે હું તમારા મામાની પુત્રી છુ, મારા પિતાએ આપની સાથે પરણાવવાને મને નિશ્ચય કર્યાં છે. એમ કહીને ખૂબ રડવા લાગી ત્યારે કુમારે એને હિ'મત આર્પાને કહ્યું' કે હે કુમારી! તમે મને સત્ય કહા કે તમારી આ દશા કેાણુ દુષ્ટ કરી છે? ત્યારે કુમારીએ કહ્યું કે જ્યારથી મારા પિતાજીએ આપની સાથે મારા વિવાહ કરવાનુ' નક્કી કર્યું. ત્યારથી હું આપના મધુર મિલનના સાનેરી સ્વપ્નામાં સમય પસાર કરતી હતી. એક દિવસ હું ખગીચામાં ફરવા ગઈ ત્યારે કાઈ દુષ્ટ વિદ્યાધરે મને જોઈને મારુ' અપહરણ કર્યું, અને મને અડી લઈ આવ્યે. અહીં લાવીને મારું શિયળ ખંડિત કરવા ઘણાં પ્રયત્ના કર્યાં. મને ઘણુ' કષ્ટ આપ્યુ છતાં મેં મારુ' શિયળ અખંડ રાખ્યુ છે. મારા માતા-પિતા ભાઈ વિગેરેથી વિખૂટી પડી વિરહ રૂપી અગ્નિથી દિવસા વીતાવતી હતી. ત્યાં આજે આપના દર્શનની અમૃતવૃષ્ટિએ મને પ્રફુલ્લિત ખનાવી છે. કન્યાના આવા પ્રકારના વચન સાંભળીને કુમારે કહ્યુ' હે સુભગે ! તારુ' અપહરણ કરનાર અને મારા શત્રુ એ વિદ્યાધર કયાં રહે છે? મારે એને જોવા છે કે એ કેટલો બળવાન છે. ke કુમારની વાત સાંભળીને કુમારીએ કહ્યુ-કુમાર ! એ દુષ્ટ વિદ્યાધરે મને વશ કરવા માટે શાંકરી નામની વિદ્યા આપવાનું કહ્યુ છે. એ વિદ્યાને પ્રભાવ એવા છે કે જ્યારે તું એ વિદ્યાને યાદ કરીશ ત્યારે એ વિદ્યા દાસ-દાસીએ, સખીએ આદિ પરિવાર સાથે સ્વયં પ્રગટ થશે ને તેને તુ· કહીશ તે તારા દરેક કામેા કરી આપશે. તારા જે કોઈ શત્રુ હશે તેનેા પણ તે વિનાશ કરી આવશે. હું તારાથી દૂર હોઈશ તે પણ મારો વૃત્તાંત પૂછવાથી એ મારા સમાચાર આપશે. આવે એ વિદ્યાના પ્રભાવ છે માટે હું એ વિદ્યા સાધવા જાઉ' છું. એમ કહીને એ વિદ્યાધર એક વાંસડાની જાળમાં વિદ્યા સાધવા ખેડે છે. આ સાંભળીને કુમારે કહ્યું તે તા હવે તારે ભય રાખવાની જરૂર નથી, કારણ છે શાંકરી વિદ્યા સિદ્ધ કરવા માટે વાંસડાની જાળમાં બેઠેલેા વિદ્યાધર આ રીતે મારાથી હણાઈ ગયા છે ને મરણ પામ્યા છે. આ સાંભળીને કુમારી નિર્ભીય બની અને ત્યાં ગાંધત વિધિથી તેમણે લગ્ન કર્યાં ને સંસારના સુખ ભાગવવા લાગ્યા. થાડા દિવસ વીત્યા બાદ એક દિવસ હિન્ય આભરણુના રણકાર સ’ભળાયા, આ સાંભળીને કુમારે પોતાની પત્નીને પૂછ્યું કે આ રણકારશાના સ`ભળાય છે ? રાજકન્યાએ કહ્યું સ્વામિન્! એ વિદ્યાધર વિદ્યા સાધીને આવ્યા પછી મારી સાથે લગ્ન કરવાના હતા. એણે એના મનથી મારી સાથે લગ્ન કરવાના આજના દિવસ નક્કી કરેલા હતેા તેથી એ દુષ્ટ વિદ્યાધરની બહેન વિદ્યાધર કુમારિકાઓને સાથે લઈને વિવાહના સાજ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy