SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૮૯ ખૂબ આઘાત લાગ્યા. અરેરે....આપણા કેવાં પાપ કર્મોના ઉદય થયા છે કે આપણું કોઈ નહિ. જેના ઉપર આશાના મિનારા બાંધીને ભણાવ્યા એ મિનારા જમીન દોસ્ત થઈ ગયા, અને આપણી એકની એક લાડકવાયી બેબી પણ સૌને રડાવી ચાલી ગઈ. એમ કરીને પતિ-પત્ની ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે ત્યારે આડોશી પાડોશી બંનેને આશ્વાસન આપીને શાંત પાડે છે. છેવટે હૈયુ જરા હળવુ બન્યુ. એટલે પોતાના આત્માને કહે છે કે દુ:ખ આવે મનવા જ્યારે ત્યારે રાત્રુ શા માટે ? જે વાળ્યુ. તે ઊગે છે એના શાક શા માટે ? હે જીવાત્મા ! તને જે દુઃખ આવ્યું છે તે તારા પાપકર્મના ઉદયથી આવ્યુ છે. આપણાં કર્માં જ આપણાં ઉપર રૂયાં છે એમાં ભાઈના દોષ નથી, કારણ કે જ્ઞાની સતા ઘણી વાર સમજાવે છે કે હું આત્મા ! આ સંસાર જ વિચિત્ર પ્રકારના છે. “ જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, જ્યાં યૌવન છે ત્યાં નૃત્હત્વ છે, જ્યાં સાગ છે ત્યાં વિયાગ છે, જ્યાં કાયા છે ત્યાં રાગ છે, જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જયાં હાસ્યની છેાળા ઊડે છે, ત્યાં રુદનનાં સમાં પણ હાય છે, આ બન્નેને સમજે છે તે સાચે ધમી કહેવાય છે. ” જ્યાં પુણ્યની પ્રધાનતા હોય છે ત્યાં સુખની છેાળા ઊછળે છે ને જયાં પાપની પ્રધાનતા છે ત્યાં દુઃખની ઝડીએ વરસે છે. આવુ` સમજીને જે મનુષ્ય સુખ-દુઃખમાં સ્થિર રહે છે તેનુ' માનવજીવન સફળ બને છે, બાકી કર્યાં તે કોઈ ને છેડનાર નથી. આવા વિચારો કરીને શાંતિલાલ અને તેની પત્ની આશા પેાતાના દિવસે શાંતિથી ધર્મ –આરાધનામાં પસાર કરવા લાગ્યા. નાના ભાઈ સુરેશ પણ સુખમાં એના દિવસે પસાર કરે છે. એક વખત સુરેશભાઈના પુણ્યનું પાંદડુ' ખસ્યું'. રવિવારના દિવસ હતા એટલે સુરેશ અને તેની પત્ની અને સિનેમા જેવા ગયેલા. સિનેમા જોઈ ને આવ્યા ને ઘસઘસાટ ઊંઘી ગયા ત્યાં અચાનક કાણું જાણે ઘરમાં આગ લાગી. પાંચ વર્ષને ખાધે અચાનક જાગી ગયા ને આગના ભડકા જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. એટલે સુરેશ અને તેની પત્ની બંને જાગ્યા ને બૂમા મારી કે આગ લાગી છે. બચાવા બચાવે.... ઘરમાંથી નીકળવાના બારણા તરફ જ આગ લાગી હતી. પાછળના ભાગમાં ખારણુ નથી એટલે કયાંથી નીકળવું તે કઈ સૂઝતું નથી. લોકો દોડતા આવ્યા ને બૂમરાટ કરવા લાગ્યા પણ કાઈ બચાવી શકે તેમ ન હતુ.. આગ એલવવા ખંખા લાવ્યા પણ એ આવે ત્યાં સુધીમાં તે આગ ત્રણેને ભરખી જાય તેમ હતું. ખાખે। ખીજા રૂમમાં અટવાઈ ગયા હતા. શું કરવું તે દિશા સૂઝતી નથી. “ અપકાર ઉપર ઉપકાર કરતા માટાભાઈ” :- આ ખાવુ મોટાભાઈને આગના સમાચાર મળતા તે જલદી દોડયા કે મારા ભાઈને બચાવુ. સુરેશ અને રમાએ અગ્નિના ભડકામાંથી મોટાભાઈ ને દોડતા જોયા, એટલે એમના મનમાં થયું. કે શા, ૩૭
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy