SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શારદા સિદ્ધિ પુદ્ગલની માયાના પાયા પર સ'સારના મોટા મહેલ ઊભો છે, પણ વિચાર કરો કે આ સ`સાર મહેલ નથી પણ જેલ છે. સ્વાથ`મય છે, આ સ'સારમાં કોઈ કોઈનુ નથી. જ્યાં સુધી મનુષ્યનુ પુણ્ય કામ કરે છે ત્યાંસુધી સૌ તેને એલાવે છે તે માનપાન આપે છે પછી કાઈ કોઈ ને પૂછતું નથી, માટે જ્ઞાની પુરુષો કહે છે કે પુણ્યના દ્વીપક જલે છે ત્યાં સુધી કામ કાઢી લો. એ દીપક બૂઝાઈ ગયા પછી જીવનમાં અંધકાર છવાઈ જશે. ક્રિશા પણ સૂઝશે નહિ. જ્યારે માણસના પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે ભલભલો બુદ્ધિવાન પણ બેવકૂફ્ ખની જાય છે. માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ચતુર હાય, સદાચારી હાય પણ પુણ્ય ન હોય તેા દુનિયા એના ગુણ્ણાની કદર કરતી નથી, પણ જેને પુછ્યાદય છે તેવા માણસ બુદ્ધિહીન હેાય છતાં તે સમાજમાં બુદ્ધિવાન મનાય છે. આવા સ'સારના ખેલ છે. ė તમે નાટક જોવા જાએ છે ને ? અહી' ખેડેલામાંથી ઘણાને નાટક જેવુ' ગમતુ' હશે. ચાર ચાર દિવસ અગાઉથી નાટકની ટિકિટ મંગાવીને રાખે છે પણ વિચાર કરશે. આ તમારા સ’સાર એ પણ એક પ્રકારનુ' નાટક છે. નાટકમાં જુદાં જુદાં પાત્રો જુદા જુદા પાઠ ભજવે છે. ત્યાં તમે પ્રેક્ષક બનીને જામે છે ને ? નાટકમાં ગમે તેવુ કરુણુ દૃશ્ય આવે કે હાસ્યજનક દૃશ્ય આવે તે તેની તમને કોઈ અસર થાય છે ? કદાચ કરુણુ દૃશ્ય આવે તે ઘડી વાર અસર થઈ જાય છે પણ પછી તે એને કઈ યાદ નથી કરતા. નાટક પૂરુ' થાય એટલે તરત ત્યાંથી ઊઠીને ઘર ભેગા થઈ જાએ છે ને? એ રીતે તમે આ સ'સારમાં પણ પ્રેક્ષક બનીને રહેા. જો મારાપણાની મમતા કરી તે મરી ગયા સમજો પણ મમતારહિત પ્રેક્ષક ભાવથી રહેશે। તે તમને ગમે તેવા પ્રસંગેામાં પણ દુ:ખ નહિ થાય. પુણ્યદયથી લક્ષ્મી મળી હોય તે તેના દાનપુણ્યમાં સદુપયેાગ કરો. શરીર સારું હોય તેા તપ કરેા, સેવા કરો, બ્રહ્મચર્ય નું પાલન કરો. હવે પયૂષણ પના દિવસા નજીક આવી રહ્યા છે. ઘણાં ભાઈ બહેનેાએ તપશ્ચર્યાં શરૂ કરી છે પણ હવે જેણે કઈ કર્યુ નથી તેમણે એ વિચાર કરવાના છે કે મારે શું કરવુ? જે કરશે તે સાથે આવવાનુ` છે. માકી કઈ સાથે આવવાનુ` નથી. એમ સમજીને માહુ છેડા. જે આત્માએ આંખા બંધ કરીને સ'સારના મેહમાં ફસાય છે તે ઘોર પાપ ક નું આચરણ કરતાં અચકાતા નથી. આપણા ચાલુ અધિકારમાં દીર્ઘ રાજા અને ચુલણી રાણી કેવા માહમાં પડયા છે! એમનુ પાકળ બ્રહ્મદત્તકુમારની જાણમાં આવી ગયું', એટલે દીર્ઘ રાજાના દિલમાં ચમકારો થયા કે હવે જો આ બ્રહ્મદત્તકુમાર જીવતા રહેશે તે અમારુ સુખ લૂંટાઈ જશે. માટે ગમે તેમ કરીને એના જીવનના અત લાવવા પડશે. ઢી`રાજાએ આવું કહ્યુ તા પણ રાણીની આંખ ખૂલી નહિ. કદાચ માહવશ ભાન ભૂલે પણ જ્યારે પેાતાના એકના એક પુત્રને મારી નાંખવાનું' કહ્યુ' તે પણ ચલણીને એમ ન થયું કે હે રાજા !
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy