SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ આવ. એ મા? તું કેમ આવતી નથી ને બેલતી નથી? મારા માથે વહાલભર્યો હાથ કેમ નથી ફેરવતી? એમ કહી આંખમાંથી આંસુ સારતે એની મૂક ભાષામાં માતાને પિકાર કરે છે. એમાઓ...મા...પેલું પંખી બેલે, સૌ માનવ બોલે, પણ તું કેમ ના બેલે મારી મા..મને કઈ બતાવે (૨). કેઈ કહે છે ગઇ આકાશે, ઊંચે ઊંચે પ્રભુ પાસે, એ ભગવાન મને તું લઇ લે, પણ પાછી દેને મારી મા... મા... સુરેશને પિકાર” - હે પંખીડા ! તું મારી માતાને મારે આટલે સંદેશે આપી આવ કે તારે સુરેશ તારા વિના ગૂરે છે અને સુરેશનું રક્ષણ કરનાર તારી પુત્રવધૂના માથે તે દુઃખના ડુંગર તુટી પડયા છે માટે તું જ્યાં હોય ત્યાંથી આવીને તારા સુરેશને લઈ જા. આમ કહીને રડે છે. સુરેશના મુખ સામે જેવાતું નથી. આ જોઈને સુનંદા બેલી ઉઠી અહે.આટલી મોટી આ પૃથ્વી ઉપર મને અને મારા સુરેશને થેડી જમીન નહિ મળે? શું આકાશને એક નાનકડે ટુકડે છાપરા માટે નહિ મળે? હું જાઉં છું ત્યારે ભાઈ–બહેન કહે છે ભલે જા, પણ આ કાગળીયા ઉપર સહી કરતી જા. પિયરની મિલકતના કાગળ ઉપર સહી કરાવી અને છૂટાછેડા કરવાના કાગળ ઉપર પણ સહી કરાવી. સુનંદાએ હસતા મુખડે સહી કરી આપી અને સુરેશને સાથે લઈ ઘરમાંથી કંઈ પણ લીધા વિના ચાલી નીકળી. ઘરની સાક્ષાત કુળદેવી સમાન સુનંદાને જતી જોઈને લકે બલવા લાગ્યા કે આ વિજયને વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂઝી છે. આ પવિત્ર બાઈને કાઢી મૂકશે તે દુઃખી દુઃખી થઈ જશે. એની બહેન પણ એના જેવી છે કે એના ભાઈને સાચી સલાહ આપતી નથી. આ સંગા છોકરાના પચે એ સુખી છે પણ અભિમાનમાં એ ભાન ભૂલ્યો છે. આડોશી પાડોશી સામેથી સમજાવવા ગયા પણ કોઈની વાત સાંભળી નહિ. સુનંદા સુરેશને લઈને ગામની બહાર નીકળી. ત્યાં એક કૂવો આવ્યા, ત્યારે સુરેશ ઈશારે કરીને ભાભીને કહે છે ભાભી ! તે તે મારા માટે દુઃખ વેઠવામાં બાકી નથી રાખ્યું. આ પાપીને જીવાડવામાં શું સાર છે? તું મને આ કૂવામાં ફેંકી દે ને તું ઘેર જા. ભાભી તેને ઈશારાથી સમજાવે છે કે તમને કૂવામાં ફેંકી દેવા માટે ઘર નથી છોડયું. ચાલતાં ચાલતાં તેઓ એક ગામડામાં આવ્યા. ત્યાં એક ઝુંપડી બાંધીને દિયર ભેજાઈ રહ્યા. સુનંદાની પાસે ચેડા પિસા હતા તેમાંથી ખાવાનું લાવીને બંનેએ ખાધું. સુનંદા લોકોના કામ કરીને પેટ ભરવા લાગી. પાસે થેડા પિસા વધ્યા એટલે પીપરમીટ વગેરે ચીજોની નાનકડી દુકાન કરી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવા લાગ્યા. વિજયને કમેં આપેલી થપ્પડ”:- આ તરફ સુનંદાના નીકળ્યા પછી આઠ દિવસમાં વિજયને વહેપારમાં ખોટ ઉપ૨ ખેટ આવવા લાગી. બહારગામથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy