SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨] [શારદા શિરમણિ મઠમાં આપી જાય. મેટા ભિક્ષુ તે પિતાનું પાત્ર લઈને ગામમાં ભિક્ષા લેવા ગયા. ડી વારમાં જાડી રોટલી અને બાફેલું શાક લઈને આવ્યા. રોટલીમાં ઘી ન હતું અને શાકમાં તેલ મસાલા ન હતા. તેમણે નાના ભિક્ષુને કહ્યું–લે, આહાર આવી ગયો. આપ આહાર કશે. લુખી જાડી રોટલી હાથમાં લીધી ને કહ્યું-ભાઈ ! આ જાડી લુખી રોટલી ને બાફેલું શાક મારા ગળે ઉતરશે નહિ. આ સાંભળતા મોટા ભિક્ષુને ખૂબ દુઃખ થયુ. મારે નાને ગુરૂભાઈ એમ બેલે કે આ રોટલી મારા ગળે ઉતરશે નહિ ! एगतरत्ते रुरे रसम्मि, अतालिसे से कुणइ पोस । તુવણરસ પીજી મુદ્દે વાજે, ઢિળ તેના મુળ વિરાળો ઉત્ત...૩૨.ગા.૬૫ ભગવાન બોલ્યા છે જે જીવ મને રસમાં અત્યંત અનુરક્ત બને છે. અમનેશ (નહિ ગમતા) રસોમાં ઠેષ કરે છે તે અજ્ઞાની જીવ અત્યંત દુઃખ અને પીડાને પ્રાપ્ત કરે છે. વીતરાગી મુનિ તે દુઃખથી લેપતા નથી. એટલે તેમને મન તે મનેઝ, અમનેz બંને સમાન છે. મને રસ પર રાગ નથી અને અમનેઝ પર ઠેષ નથી. નાના ભિક્ષુ સારા સારા મન રસોમાં આસક્ત બન્યા એટલે તેમને આ રોટલી અને શાક પ્રત્યે અણગમે થયે. મોટા ભિક્ષુના મનમાં થયું કે આ નાના ભિક્ષુએ આ બાર વર્ષમાં સારા ભિક્ષુ જીવનને ધૂળમાં રગદોળી નાંખ્યું. નાના ભિક્ષુ કહે, આપ એક વાર મારા મઠમાં આવે. ત્યાંને બધે ભભક જુઓ. મારા ભક્તો તે એટલા બધા છે કે મારે ભિક્ષા લેવા જવું પડતું નથી. મને લાગે છે કે તમે તમારા જ્ઞાનને પ્રભાવ જનતા પર પાડી શક્યા નથી. મારી અને તમારી વચ્ચે કેટલું અંતર છે? ભાઈ! મારે તારે ત્યાં જેવા આવવાની જરૂર નથી. મને તે આ જીવનમાં આત્મમસ્તી છે. તું તારા જીવનને ખૂબ ઊંડાણથી વિચાર કર. તે દીક્ષા લીધી તે તારે ત્યાં ઘર, પલંગ આદિ હતું કે નહિ? ઘરમાં ખાવાનું શું ન હતું? મેવા મીઠાઈ ન હતા? તારી પાસે ઘરબાર, માલ મિત, જમીન, સુખના સાધને બધું હતું છતાં તે આ બધાને ત્યાગ શા માટે કર્યો? આ બધું છોડીને દીક્ષા શા માટે લીધી? છોડેલી વસ્તુઓને ફરી ભોગવવા માટે ? તે સમજીને, વિચારીને જોયું છે અને હવે ફરી તેને ગવવા તૈયાર થયે છે? ત્યાગી મટીને ભાગી બની ગયે ? “મની મમ સંસી, અમો વિઘારવા.'' ભેગી આત્મા સંસારમાં ભમે છે અને અગી આત્મા સંસારથી મુક્ત થાય છે. તમે પિતાને બૌદ્ધ ભિક્ષુ કહે છે. આપણું બુદ્ધ ભગવાનની આજ્ઞા છે કે ભિક્ષાએ પક્ષીની જેમ વિચરણ અને ભિક્ષાચર્યા કરવી જોઈએ. જેવી રીતે પક્ષીઓ કઈ વસ્તુને સંગ્રહ કરતા નથી તેવી રીતે ભિક્ષુઓએ કઈ વસ્તુને સંગ્રહ કરે જોઈએ નહિ તારી બુદ્ધિ કયાં ગઈ? અખૂટ સુખ સંપત્તિને છેડીને શું લેકના માન-સન્માન, આદર સત્કાર અને ભક્તોના ટોળા જમાવવા માટે દીક્ષા લીધી છે ? સંસારનો ત્યાગ કરીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy