SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] [ શારદા શિરોમણિ આનંદ શ્રાવકે આઠ વ્રત આદર્યાં. હવે નવમા વ્રતની વાત વિચારીએ. નવમુ સામાયિક વ્રત. તમને કોઈ પૂછે કે સામાયિક કેટલી લાંબી ? ચૌદ રાજલેાક જેટલી. ચૌદ રાજલેાક જેટલી લાંબી શા માટે કહી? તમે સામાયિક કરો ત્યારે ચૌદ રાજલેાકની પાપની ક્રિયા રોકી દો છે. સામાયિકને સમભાવ રૂપ કહેલ છે. સમભાવ એટલે સમતા. સમતા રસમાં ઝૂલવું તેનું નામ સામાયિક. સામાયિક કરવાનો હેતુ શે? અનંતકાળથી જીવાને અવ્રત દ્વારા પાપના પ્રવાહ આવ્યા કરે છે. ચૌદ રાજલેાકમાં જેટલી ચીજો છે તે પ્રત્યેની મમત્વ બુદ્ધિના કારણે આશ્રવ ચાલ્યા આવે છે. તે આશ્રવમાંથી, પાપની ક્રિયામાંથી મુક્ત થવા માટે ઓછામાં એછી એ ઘડી, ૪૮ મિનિટ સુધી સર્વ પાપકારી કાર્યાંના ત્યાગ કરવા માટે સામાયિક કરવાની છે. સામિયક એ કોઈ સામાન્ય ચીજ કે વસ્તુ નથી પણ મહાન અદ્ભૂત ચીજ છે. તે ચારિત્રના અંશ છે. શ્રાવકની સામાયિક એ સાધુપણાની વાનગી છે. સામાયિક કરવાથી નવા પાપે આવતા બંધ થઈ જાય છે અને ઘણાં જૂના કર્માં ખપી જાય છે. ભગવાને પાંચ પ્રકારના ચારિત્ર બતાવ્યા છે. તેમાં પહેલુ' છે સામાયિક ચારિત્ર. જો સામાયિક કરવાની તાલીમ લેશે તે સામાયિક ચારિત્રને ઘેાડો લાભ મળશે. અમૂલ્ય સામાયિકના અગણિત લાભ : સામાયિકમાં તા કેટલાય લાભેા સમાયેલા છે. સામાયિકમાં તપના સમાવેશ થાય છે તેથી આવતા નવા કર્યાં રોકાય છે એટલુ નહિ પણ અનંતા ભવાના કર્યાં ઊડી જાય છે. ૧૦ મનના, ૧૦ વચનના અને ૧૨ કાયાના એ ૩૨ દોષ ટાળીને શુદ્ધ ભાવથી કરાતી સામાયિક નરક, તિય ચગતિને અટકાવે છે એટલું જ નહિ પણ મનુષ્યમાં હલકી જાતિમાં અને દેવમાં વાણુન્યતર કે ભવનપતિમાં જતા નથી. તે સમયે જો આયુષ્યના બંધ પડે તે વૈમાનિક ગતિને પડે છે. સામાયિકમાં ૧૮ પાપમાંથી એક પણુ પાપ કરાતું નથી. જેટલેા સમય સામાયિકમાં હાય તેટલે વખત તેા શાતા વેદનીય, ઉચ્ચગાત્ર અને શુભ નામ કમ ખાંધે ગ્રંથકારાતા કહે છે કે કોઈ દાનેશ્વરી દરરોજ લાખ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને કોઈ જીવ સામાયિક, કરે તેા આ દાનવીરતું દાન સામાયિક કરતાં વધતું નથી. સામાયિકમાં રહેલ તેટલા વખત સાધુ જેવા છે. સામાયિક સગુણ્ણાના આધાર છે. સામાયિક શારીરિક અને માનસિક બધા દુ:ખાના નાશ કરે છે અને મેક્ષ તરફ લઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યાં કે હે પ્રભુ ! सामाइएण મસ્તે નીવે 'િ નળચરૂ ? ” સામાયિક કરવાથી જીવને શુ લાભ થાય ? પ્રભુએ કહ્યુ’– “ સામાળ સાજન નો વિરૂ નળયર્ ।'' સામાયિક કરવાથી સર્વ પ્રકારના સાવધ યેાગોથી નિવૃત્તિ થાય છે. એટલે સામાયિક કરવાથી સર્વથા માપેાના ત્યાગ થાય છે. સમભાવને લાભ થાય સામાયિક અસ્થિર આત્માને સ્થિર કરે છે. સાંસારિક ભાવમાંથી અધ્યાત્મ ભાવમાં લાવે છે. અનંત કર્માની ભેખડા તેડાવી મહાન નિર્જરા કરાવે છે. હળુકમી બનાવે છે, માટે આપ એટલેા નિયમ લેા કે મારે દરરોજ ઓછામાં ઓછી એક શ્રાવક ઃઃ 1,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy