SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪] [ શારદા શિરમણિ કહે-ના હું દંડ તે નહિ ભરૂ. દંડની ના પાડી એટલે તેને જે સ્ટેશન આવ્યું ત્યાં ઉતારી દીધે. ટિકિટચેકરના મનમાં થયું કે માણસ તે સારો દેખાય છે તે ટિકિટ વગર કેમ બેઠો હશે ? સ્ટેશને ઉતર્યા પછી ત્યાં જે માણસો હતા તેમને કહ્યું- આ માસે ટિકિટ લીધી નથી માટે તેના દંડમાં આજે તેને અંધારી કેટડીમાં પૂરી રાખો. કાલે સવારે તેને રજા આપી દેજો. ટિકિટ હોવા છતાં કોણ કહે કે નથી? : વણિકને કેટડીમાં પૂરી દીધો. કેટડીમાં પલંગ હતું, પંખો ફરતો હતો એટલે ભાઈ તે નિરાંતે ઊંઘી ગયે. પેલે ટિકિટચેકર આ સ્ટેશનને હતો. તે ત્યાં આવી ગયું હતું. સવારે તેણે બારણું ખેલ્યું ભાઈને જગાડે પછી કહ્યું તું દેખાય છે સારે. તારી પાસે માલસામાન પણ સારે છે તે તું ટિકિટ વગર કેમ બેઠે? ટિકિટ વગર બેઠે તે તારે આ કેટડીમાં પૂરાવું પડયું ને ? હવે ઘર ભેગો થઈ જા. ભવિષ્યમાં કયારે પણ ટિકિટ લેવાનું ભૂલતા નહિ તને હવે સવારની ગાડી મળશે. તું રવાના થઈ જા. વણિક કહે, કોણે કહ્યું કે મારી પાસે ટિકિટ હેતી? આપને વિશ્વાસ ન હોય તે જોઈ લે આ ટિકિટ. એમ કહીને વાણિયાએ ટિકિટ કાઢીને બતાવી. ટિકિટ લેતાં ટિકિટ ચેકરને આશ્ચર્ય થયું. અરે ભાઈ! તારી પાસે ટિકિટ હતી તે રાતના બતાવી કેમ નહિ ? એક રાતની જેલની હવા શા માટે ખાધી ? જોખમને જાળવવા ઊભી કરેલી માયાજાળ : ભાઈ! વાત એમ છે કે મારી પાસે રૂપિયા દશ લાખનું જોખમ હતું. હું જે ડબ્બામાં બેઠો હતો તે ડબ્બામાં બધા ગુંડાઓ બેઠા હતા એટલે ત્યાંથી છૂટવાને રસ્તે શોધતે હતે. તમે મને નીચે ઉતાર્યો ને જેલમાં પૂર્યો. જેલમાં મઝાને સૂવાને પલંગ હતું, પંખ ફરતે હતા, હું ભાગી ન જાઉં તે માટે ચેકીપહેરે મૂકયો હતે પછી મને શી ચિંતા ? હું તે આરામથી ઊંઘી ગયો. તમે મને અહીં ઉતાર્યો તે મારી મૂડી સલામત રહી. હું તે તમારે મહાન ઉપકાર માનું છું કે તમે મને અહીં ઉતારી દીધે. એ ઉપકારને બદલે કેવી રીતે વાળું ? મને અત્યારે ગાડી મળશે ને હું મારા ઘેર પહોંચી જઈશ. આપે મારા દશ લાખના જોખમને બચાવ્યું તેના બદલામાં ૨૫ રૂા. હું તમને ભેટ આપું છું એમ કહી ૨૫ રૂ. આપીને વાણિયો તો ત્યાંથી રવાના થયે. ટિકિટચેકર તે આજે બની ગયો. જોખમ સાચવવા માટે વાણિયાએ કેવી કરામત કરી ? જોખમ બચાવવા જેલમાં જવા તૈયાર થયે. માનવી ધન સાચવવા કેટલા વાના કરે છે? જરૂરિયાત કરતાં અધિક ધન મેળવવાની લાલસા જીવને ન કરવાના કામ કરાવે છે તે માટે ગમે તેટલા કષ્ટ વેઠવા પડે તે હસતા મુખે વેઠી લે છે. આપણે ત્રણ બોલની વાત થઈ હવે ચેથા બેલમાં આવે છે. (૪) અમંગળવદઃ શરીરે માલીશ કરવાના પદાર્થોની મર્યાદા કરવી. પહેલાના રાજા મહારાજાઓ, મેટા ગર્ભશ્રીમંત માલીશ કરતા હતા. તેમાં ઘણી જાતના તેલ આવે છે. તે તેમાંથી કયું તેલ અને કેટલું વાપરવું તેની મર્યાદા કરવી. આનંદ શ્રાવક
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy