SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪] [ શારદા શિરેમણિ ધરતીના એક ટુકડા ખાતર ને? લાખો-કરોડો માણસને સંહાર ! એક જમાને એ હતો કે ગાડા નીચે કૂતરું આવી જાય તે લેકે એના પર તૂટી પડતા. આજે અહિંસાને જમાને ગયો અને હિંસાવાદને જમાને આવ્યો. અપરિગ્રહવાદને જમાને ગયે ને પરિગ્રહવાદ-મૂડીવાદને જમાને આવ્યા. પરિગ્રહવાદના કારણે દુનિયામાં મોટી મોટી લડાઈ ઓ અને સંગ્રામ ખેલાયા છે. પહેલા તે હાથથી લડતા હતા ત્યારે સંગ્રામ ખેલતા સિનિકે મરાતા હતા. બીજા નિર્દોષ છે મરાતા ન હતા. આજના વિજ્ઞાનના યુગમાં જે એટમ બેબ, હાઈડ્રોજનબ આદિ જે બેંબ બન્યા છે તે ઘરમાં સૂતેલાને પણ મારી નાંખે. પહેલા રાજાઓ સામસામી લડતા અને પછી ભેગા થઈને છાવણીમાં બેસતા. તે લડાઈ દિવસે ચાલતી અને રાત્રે બંધ થઈ જતી. આજે તો બેથી લડાઈ થઈ ગઈ એટલે લાખ અને કરેડો માણસને કચ્ચરઘાણ વળી જાય. પાકિસ્તાનના આગાખાને ૩૦ લાખ માણસને મારી નાંખ્યા. બધા દેશોના તમામ નેતાઓ એક બાજુ વિશ્વશાંતિની વાત કરે છે તે બીજી બાજુ એક સાથે લાખો ની તલ કરી નાંખે તેવી પ્રચંડ શક્તિવાળા ભયંકર એટમ બેંબ બનાવે છે. આ બેથી કુરતાભર્યા ભયંકર યુદ્ધો ધરતી પર થઈ રહ્યા છે. તેનું મૂળ કારણ ધરતીની ભૂખ છે. આ પરિગ્રહ જેટલા અનર્થ ન કરાવે તેટલા ઓછા. આજે માનવી પૈસા પાછળ પાગલ બન્યો છે. અતિ ત્યાં દુઃખ અને મર્યાદિત ત્યાં સુખ ઃ ભગવાન મહાવીર દેવે આપણને એ સમજાવ્યું કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે? જે સુખી થવું હોય તે અધિક સંગ્રહુ કરવાની વૃત્તિ ભૂલી જાઓ અને મર્યાદામાં આવે. જ્યાં અતિ થાય છે ત્યાં અનર્થ થાય છે. નદીમાં જે મર્યાદિત ભરતી આવે છે તે પૂજનીય બને છે પણ અતિ ભરતી આવે તે ભયંકર હોનારત સર્જી દે છે. તે કલંક વર્ષો સુધી ભૂલાતું નથી. મર્યાદિત-માપમાં સારું. પગમાં પહેરવાના બૂટ કે ચંપલ જે અતિ મોટા હશે તો પડી જવાશે. તે પગના માપના જોઈએ. વધેલા નખ જે યોગ્ય સમયે કાપવામાં ન આવે તે બેડોળ લાગે. એમાં મેલ પણ ભરાય અને રોગની વૃદ્ધિ થાય, તેવી રીતે જરૂરિયાત કરતા સંપત્તિ અતિ વધી જાય અને સત્કાર્યોમાં ન વપરાય તે અનર્થનું કારણ બને છે. મેટો થયેલે નખ નહિ કાપવાથી ઠેસ વાગતાં ક્યારેક આખે નખ ઉખડી જાય છે ત્યારે પારાવાર વેદના થાય છે તેમ સંપત્તિને સંગ્રહ કરનાર જીવનને બધે આનંદ ગુમાવી દે છે. મર્યાદિત ધન હોય તે તેને કઈ પણ હેરાન કરતું નથી. તૃણને તાગ કેમ નથી આવતે? : એક જિજ્ઞાસુએ જ્ઞાની ગુરૂ ભગવંતને પ્રશ્ન કર્યો કે આ સંસારમાં જેને સુખેથી ખાઈ શકે તેમ દાળ-ભાત-રોટલી-શાક અને મિષ્ટાન મળે, પહેરવા સારા કપડા મળે, રહેવા માટે સારું ઘર મળે છતાં જેને સંતોષ કેમ થતો નથી? શા માટે એ પરિગ્રહને વધુ ને વધુ સંગ્રહ કરે છે? જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ કરવાનું મન કેમ થાય છે? જ્ઞાની ભગવંતે કહ્યું છે કે એ જેને અસંતોષવૃત્તિ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy