SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૫૦૩ વિકાસના સેાપાને ઉપર આરોહણુ ઝડપી થઈ શકે છે. મુશ્કેલ છે ગ્રંથીભેદ કરવાના. કઢીન છે સુખ પ્રત્યેના રાગને દૂર કરવાનું; અને દુ:ખ પ્રત્યે દ્વેષને દૂર કરવાનું. અતિ મુશ્કેલ છે કદાગ્રહને છેડવાનુ. ગઇકાલે આપણે વાત કરી હતી કે ૨૫ પ્રકારના મિથ્યાત્વમાં અભિનિવેશિક મિથ્યાત્વ છે એ આત્માને ખૂબ હેરાન કરે છે. ગૂડો કહેા, લૂટારો કહા કે શત્રુ કહા તે તે અભિનિવેશિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવની મતિ અવળી કરાવે, રાગ-દ્વેષ કરાવે અને ડગલે ને પગલે જીવને કર્યાં બધાવે છે. આ મિથ્યાત્વ મોટા ભાગે સામી વ્યક્તિને આપણા પ્રત્યે દુર્ભાવ કરાવે છે અને તેના કારણે પરિણામ એ આવે છે કે સામી વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારવા પણ તૈયાર થતી નથી. બીજાને સન્માર્ગે લાવવા હાય તે પહેલા તેને આપણા પ્રત્યે સદ્ભાવ હોવા જોઈએ. વાતચીત રજૂ કરવાની કળા જોઈ એ. ઘણી વાર એવું બને છે કે જે કામ બળથી ન થાય તે કળથી થાય છે. કામ કેવી રીતે લેશો ? બળથી કે કળથી : એક છેકરાને બીડીનું ખૂબ વ્યસન. રોજની ૨૦ થી ૨૫ બીડી પીવે. તેના પિતાને ખબર પડી કે મારા દીકરા બીડી પીવે છે પણ તેને જો ધમકાવીશ તે એ બીડી છેડશે નિહ ને પિરણામ સારું નહિ આવે. તે માટે મારે કળથી કામ લેવું પડશે. એક વાર પિતા દુકાને બેઠા હતા ત્યાં છેક રા હરખાતા હરખાતા પિતા પાસે આવ્યેા ને કહ્યું-ખાપુજી ! દેખલ ટેનિસની રમતમાં આખી સ્કૂલમાં મારો પહેલેા નખર આન્યા. બાપે ખરાખર સમય જોઇને સેાગડી મારી. તું શું વાત કરે છે? આખી સ્કૂલમાં તારો પહેલેા નખર ! મને તેા લાગે છે કે ક્રિકેટમાં, વાલીએલમાં ખધામાં તું પહેલા નંબર લાવે તેવા છે પણ બેટા ! તને એક વાતની ખખર છે ને કે રમતગમતમાં જેને આગળ આવવુ હોય તેની છાતી મજબૂત જોઈએ. જેને છાતી મજબૂત બનાવવી હાય તેણે પોતાના જીત્રનમા એક પણ વ્યસન આવવા દેવુ જોઇએ નહિ. મને એક વાતના આનંદ છે કે હજુ સુધી તારા જીવનમાં કાઇ વ્યસન આવ્યું નથી, પણ ભવિષ્યમાં તારા જીવનમાં કઈ વ્યસન આવી ન જાય તે માટે મારી તને આટલી સલાહ છે. પિતાના પ્રેરણાદાયક પ્રેમભર્યાં શબ્દો સાંભળતા પુત્ર પિતાના ચરણમાં નમી પડયેા. પિતાજી! મને માફ કરે. મેં ઘણી મેટી ભૂલ કરી છે. હું બીડીના રવાડે ચઢી ગયા ... પણ આજથી પ્રતિજ્ઞા કરું છું કે જિંદગીમાં કયારે પણ બીડી કે કોઈ વ્યસનને નહિ અડું. આ સાંભળતા પિતાને ખૂબ આનંદ થયેા. જો ધાકધમકીથી પિતા પુત્રને બીડી છેાડાવવા ગયા હોત તેા આવું સુંદર પરિણામ ન આવત. જો સુંદર રીતે વાતની રજુઆત કરી તે છેાકરાએ તેની પકડને છેડી દીધી. સામી વ્યક્તિને સન્માર્ગે લાવવી છે પણ જો તેને તમારા પ્રત્યે સદૂભાવ હશે તેા તમારા પ્રયત્ના સફળ બનશે. અભિનેવેશિક મિથ્યાત્વ આ સદ્ભાવને તેાડે છે સદ્ભાવ તૂટયા પછી સામી વ્યક્તિને સન્માર્ગે લાવવા પ્રયત્ના કરો તેા અધા નિષ્ફળ જવાના. આ કદાગ્રહનુ` મેટામાં માટુ નુકશાન કોઇ હાય તે તે છે અભિમાનની પુષ્ટિ અને ખીજાના દિલમાં થતાં દુર્ભાવે,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy