SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ] [ શારદા શિરોમણિ સાંભળતા મનમાં એ ચાટ લાગવી જોઇએ કે હુ' સંયમ લઈ શકતા નથી પશુ સ ́સારમાં રહીને કેમ આદર્શ જીવન જીવુ' ! જેથી મારે સ’સારમાં ભટકવાનુ` આછુ થઈ જાય અને મારા ભવના ફેરા કેમ ટળે ! આનંદ શ્રાવક આગાર ધર્મ અપનાવવા છે. હવે ભગવાન આગાર ધનુ' સ્વરૂપ સમજાવશે તેના ભાવ અવસરે, * તૈયાર થયા ચરિત્ર : પુણ્યસાર તેની માતાને પેાતાની બધી વાત કહી રહ્યો છે. ગામમાં બધાને ખબર પડી ગઈ કે પુરંદર શેઠનેા દીકરા ખાવાઈ ગયા હતા તે ઘેર આવી ગયે છે. આન્યા છે એટલુ નહિ પણ તે જુદા રૂપમાં આવ્યે છે. તેની સિક્કલ બદલાઈ ગઈ છે. એટલે લેાકાને કૌતુક થયુ'. ચાલેા, આપણે જોવા જઇએ. બધાને ખબર પડી એટલે એક પછી એક શેઠની હવેલીએ આવવા લાગ્યા. બધા પૂછવા લાગ્યા, તું આવી ગયું ? તું આખી રાત કયાં ગયા હતા ? તારા વિના તેા તારી માતા પાણી વિનાની માછલીની જેમ તરફડતી હતી અને ચેાધાર આંસુએ રડતી હતી. તું ગયા ત્યારથી એની આંખના આંસુ સૂકાયા નથી. અવરજવર ખૂબ વધવા લાગી. આવનાર બધા એકના એક પ્રશ્ન કરે. પુણ્યસાર જવાબ આપીને કંટાળી ગયા. એટલે પુણ્યશ્રી કહે દીકરા ! તારી બધી વાત પછી કરજે. જા, તુ` ઉપર જઇને સૂઈ જા. એટલે જવાબ દેવા ન પડે. થોડી વાર આરામ કર. આખી રાતના તારે ઉજાગરા છે. માતાના કહેવાથી પુણ્યસાર ઉપર જઇને સૂઇ ગયા. શેઠ દુકાને ગયા અને શેઠાણી કામમાં જોડાઈ ગયા. ખપેાર સુધી પ્રધાની અવરજવર ચાલુ રહી. પુણ્યસારને તેા રાતના ઉજાગરા હતા એટલે ઊ'ધી ગયા. ભૂલનું ભાન થતાં જુગારી મિત્રાના કરેલા ઇન્કાર : સાંજ પડી ત્યારે પુણ્યસારના જુગારી મિત્રાનુ ટોળુ તેને મળવા આવ્યું. તે બધા વિચારે છે કે આપણે તેને હાથમાં લઈશું; પણ પુણ્યસાર તેા તેમના સામુ જોતા નથી. ઊંચી દષ્ટિ કરતા નથી. એક વાર ઠાકર ખાધી. ઠોકર ખાતાં ઠેકાણે આવી ગયા. કોઇક એવા અભાગી હાય કે ઠોકર ખાતા ન સુધરે. જુગારી મિત્રો પૂછે છે કેમ મિત્ર ! મઝામાં છે ને ! ખરાખર રંગમાં છે ને ! શુ' નવાજૂની કરી આવ્યા છે ? પુણ્યસાર તે તેમના સામું જોતા નથી. બીજો મિત્ર કહે છે શું તું તારા મિત્રને ભૂલી ગયા છે? અમારાથી રિસાયે છે કે શું ? તું અમારી સાથે ખેલતા નથી ? ર'ગાજી રમવા આવવું છે ને ? ત્યાં ત્રીજો મિત્ર કહે શેઠ અત્યારે કઈક મેોટી રકમ રમવાના વિચારમાં હાય તેવું લાગે છે. શેઠ, કાં તેા લાખ લઈ જાવ માં મૂકી જાવ. આ સાંભળતા પુણ્યસારને ગુસ્સા આવી ગયે. ક્રોધના આવેશમાં આવીને કહ્યું-આ તમારા અકવાદ બંધ કરો. મારે નથી સાંભળવા. હુ' તમને સાફ શબ્દોમાં કહી દઉ છું કે જો તમારે આ વાત કરવી હોય તા મારે બારણે આવશે। નહિ. તમારા સંગે હુ ઘણું પછડાયા. તમે મારા ખાનપાન બદલાવ્યા. વ્યસનાના સગમાં ચઢાવી દીધેા. તમારા સ`ગથી મારા પિતાએ મને ધક્કો મારીને બહાર કાઢયેા. મારા માતાપિતા સારા કે મને ઘરમાં રાખ્યા. આ તે રાજાના હાર ચા. એટલે મને બહાર કાઢચેા. બીજા માબાપ હોય તેા ઘરમાં ન રાખે. એક
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy