SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ ] [ શારદા શિશમણિ ઘણાં પ્રયત્ના કરે છે છતાં સુખી જીવા અલ્પ છે અને દુ:ખી જીવા ઘણાં છે. જીવાના સુખ મેળવવાના પ્રયત્નામાં તે! જરાય કમીના નથી છતાં ધાર્યું સુખ મળતુ' નથી. જે મળે છે તે પણ થાડુ' મળે છે; તે પણ ચાલ્યા જવાના ય હાય છે. કોઈ ધનવાન શ્રીમંતને પૂછીએ કે તમે સુખી છે? તેા તે કહેશે કે અમે પણ દુ:ખી છીએ. એ વાત તા કબુલ કર્યા વિના છૂટકો નથી. સુખ મેળવવા આટલા પ્રયત્નો કરવા છતાં સુખી કેમ અનાતું નથી તેના કઈ દિવસ વિચાર કર્યાં છે ખરા ? જ્ઞાની સમજાવે છે કે જીવે જડ પદાર્થોં પર સુખની છાપ પાડી છે તેથી તેને મેળવવા મથે છે. પિરણામે સુખ મેળવવા જતાં દુઃખની હારમાળા ખડી થાય છે અને જીવન અસ્વસ્થ, અસાષી અને અનીતિમય અની જાય છે. માનવ પાસે સત્તા, સ'પત્તિ અને સુંદરી હશે પણ જો આત્મિક ગુણ્ણા નહિ હાય તા બહારથી સુખી દેખાતુ જીવન અંદરથી દુઃખી હશે. દાગીનાની પેટી પટારામાં મૂકી હોય અને લાકડા છાણાની ઓરડીમાં ગોતવા જઈ એ તેા મળે ખરી ? ના. તેમ જ્યાં સુખ છે જ નહિ ત્યાં સુખ શેાધવા જઈ એ તેા કયાંથી મળે ? ધનવાન માને કે વિદ્વાન સુખી છે, સત્તાધીશ માને કે બલવાન સુખી છે, સૌંદર્ય વાન માને કે ધનવાન સુખી છે. આ રીતે ધન, વિદ્વત્તા, સત્તા, અળ પાછળ સુખની કલ્પના કરી માનવ દોડી રહ્યો છે પણ તેમની મહેનત નિષ્ફળ જાય છે. એક વાર એક શેઠને ત્યાં પુત્રનો જન્મ થયા. ખૂબ જોરદાર થાળી વાગવા લાગી. ગાળ ધાણા વહેંચાયા આખા કુટુંબમાં બધાને આનંદ આનંદ થઈ ગયા. કોઈ અજાણી વ્યક્તિ ત્યાંથી નીકળી. તેણે કોઈ ને પૂછ્યુ –આ થાળી શાની વાગે છે? બધાના મુખ પર આનંદના સાગર હિલેાળા કેમ મારે છે ? તેમના ઘેર દીકરાના જન્મ થયા છે તેથી આ આનંદની, સુખની લહરી ઊઠી રહી છે. આ બધુ શા માટે ? માત્ર દીકરાના જન્મથી થયેલા આનંદ માટે જ ને! પણ હું તમને પૂછું છું કે આ સુખ, આ આનંદ જિંદગી સુધી ટકી રહેશે ખરા? દીકરાના જન્મ થયા એ આનંદની ઘડી પળ હતી. કદાચ પાપના ઉદયે આ દીકરો સાવ ટૂંકું આયુષ્ય લઈને આવ્યા તે!! આનંદને બદલે દુઃખ; સુખના બદલે ખેદ થયા વિના રહેશે ના. આ આનંă આ સુખ કૃત્રિમ છે. કૃત્રિમ હાય એ કાયમ રહે નહિ. આ રીતે કોઈ સારી સત્તાની ખુરશી મળી ગઈ તે ત્યાં કેટલે આનંદ ? કયારે એ સત્તા ખુરશી પરથી ફેંકી દેશે એની કયાં ખબર છે ! સત્તા, સ`પત્તિ, સંતાનના સંચાગે। સદાકાળ સુખ આપી શકતા નથી. જે પેાતે નાશવત છે, નશ્વર છે તે આપણને શાશ્વત સુખ કયાંથી આપી શકે? એ નશ્વર પદાર્થોમાં સુખ માનીને એ મેળવવા માટે માનવી દેટ ચાલુ રાખે છે પણ પિરણામમાં સુખ મળતું નથી પણ દુ:ખ મળે છે. રાની કહે છે જયાં આખા સ`સાર જ દુઃખના છલકતા સાગર છે તેમાં સુખની આશા રાખવા જઈએ તેા સુખ કયાંથી મળે? આ સ'સારમાં એવા કોઈ માણસ હશે ખરો કે જે વેપાર કરવા નીકળ્યેા હાય ને તેને વિશેષ કમાવાની ઈચ્છા ન હેાય? સ્કૂલમાં જતા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy