SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ] [ શારદા શિરેમણિ લખાયેલા છે. આ વાત સાંભળીને ભરત મહારાજાનું દિલ મરીચિમાં છુપાયેલા ભવિષ્યના ચરમ તીર્થકર મહાવીરને વંદન કરવા માટે ઉત્સુક બન્યું. તેઓ ભગવાનને વંદન કરીને મરીચિની પાસે આવીને વંદન કરતા બોલ્યા-હે મરીચિ! તમે સંન્યાસી છે. તમારે વેશ ભગવે છે. તમે ભાવિમાં ચકવતી અને વાસુદેવ થવાના છે એટલે તમને વંદન કરતો નથી પણ તમે આ ગ્રેવીસમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી થવાના છે માટે હું તમને વંદન કરું છું. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને ચક્રવતીપણું તમારા ચરણમાં આળોટવાનું છે માટે વંદન નથી કરતો, પણ મારી વંદયું તો તમારામાં છુપાયેલા મહાવીરને છે! ભરત મહારાજા તે આમ કહીને ઘેર ગયા. મરીચિ ભાવિની કદ્ધિની કલ્પના દર્શનને પણ પચાવી ન શકયા. એમના હૈયામાં અભિમાનની આંધી આવી. હું વાસુદેવ ! હું ચક્રવતી ! હું તીર્થકર ! મરીચિ ઊભું થઈ ગયે. આનંદથી ચપટી વગાડતા, હર્ષને વ્યક્ત કરતા નાચવા લાગ્યા અને બોલ્યા-“માઘડé વાસુદેવાનામ્ ” વાસુદેમાં હું પહેલે વાસુદેવ થઈશ. વિતા મે ચક્રવર્તીના ચક્રવર્તી એમાં મારા પિતા પ્રથમ ચક્રવર્તી થયા. પિતાનો નાનામ્ તીર્થકોમાં મારા દાદા ઋષભદેવ પહેલા તીર્થકર થયા. માણો સત્તમં કુરુમ્ અહો! મારું કુળ કેવું ઉત્તમ ! વળી હું ચક્રવત થઈશ અને તીર્થંકર પણ થઈશ. ગર્વમાં આવીને નાચતા કુદતા મરીચિ ભાન ભૂલ્ય. કુળને મદ કરવાથી એમણે નીચત્ર નામકર્મ બાંધ્યું. માનકષાય સ્વાર થઈ ગઈ. બાહુબલીની કેવી અઘોર સાધના હતી! પશુપંખીઓએ માળા નાંખ્યા. કેવી જમ્બર સાધના! છતાં માનના એક અંકુરે કેવળજ્ઞાન અટકાવી દીધું. ભગવાન ઋષભદેવ મેક્ષમાં પધાર્યા. આજ સુધી તેની વિચારધારા અને શ્રદ્ધા બદલાયા ન હતા પણ હવે એક ઘડી પળ એવી આવી ગઈ કે એક દિવસ મરીચિ બિમાર પડે. શિષ્ય તે તેમની પાસે હતું નહિ. સેવા કણ કરે? ભગવાનના સંતે તે અવતીની સેવા કરે નહિ. અત્યાર સુધી સ્થિર રહેલી એની વિચાર ત ડગમગી ઉઠી. તેમના મનમાં થયું કે આ મુનિઓ કેવા છે? આંખની શરમ પણ તેમણે અભરાઈએ ચઢાવી દીધી. મેં કેટલા કુમારોને પ્રતિબંધીને એમના સંઘમાં મેકલ્યા છે. આજે હું બિમાર પડ્યો છું છતાં મારી સામે કઈ નજર પણ કરે છે? હવે કઈ આવે તો તેને મારો શિષ્ય બનાવે. એક વખત કપિલ નામે માણસ મરીચિ પાસે આવ્યા. પહેલાં તે એણે રાષભદેવના સંઘમાં ધર્મ બતાવ્યું. તેમની ડગમગેલી વિચાર ત હજુ સાવ બૂઝાઈ ગઈ ન હતી. કપિલે તેમને પૂછયું કે તમે બધાને કષભદેવની પાસે મોકલે છે તે શું આપની પાસે ધર્મ નથી? મરીચિની આંખ આગળ પોતાની માંદગી તાજી થઈ ત્યારે મુનિઓએ કરેલી બેદરકારી તરવરી ઉઠી. કપિલમાં એને શિષ્ય થવાની યોગ્યતા દેખાઈ. પતનની પળે સાવધાની ગુમાવી દીધી. મરીચિએ કહ્યું-કપિલ! અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે. નાનકડા લેશે મિથ્યાત્વના ઉદયને જગાડીને આત્માને અંધકારમાં મૂકી દીધું. ધર્મ ત્યાં પણ છે ને અહીં પણ છે. આટલું વચન ભગવાનના માર્ગથી વિપરીત બેલ્યા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy