SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૨૫૧ નથી એટલે નીચકુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાયું કરી શકાતું નથી. શ્રી સુધર્માસ્વામી, જ'બુસ્વામી અને કેશીસ્વામીને દુનિયાદારીના કોઈ પણ વ્યવહારનું કામ ન હતું છતાં તેમને ‘ જ્ઞાતિસંપન્ન અને હ્રસંન્ન ’કહેવામાં આવે છે. તેઓ ગણધર છે. ચૌઢપૂર્વી છે એ વાત સાચી છે, છતાં તેમને જાતિસ‘પન્ન કહેવામાં આવે છે. એ ઉચ્ચગોત્રનું મહત્ત્વ સૂચવે છે. નીચગેાત્રવાળા આત્માઓને પાપના સંતાપને ખ્યાલ હેાતા નથી. હિ'સા કરવી, અસત્ય ખેલવુ, ચારી કરવી એ તે એમને મન રમત થઈ ગઈ હોય છે. કોઈક વાર એવું બને કે ઉચ્ચગેાત્રમાં જન્મ પામવા છતાં તેને નીચગેાત્ર ગમતું હોય એટલે નીચગેાત્ર જેવુ' જીવન જીવવું સારું લાગતુ હોય તે તે જીવાની દશા કેવી થાય છે? અમૃતના ભરેલા ઘડાને છોડીને વિષથી ભરેલા ધડામાં માં નાંખવાનું અકાય કરી રહ્યા છે. ઉચ્ચગેાત્ર મળ્યા છતાં જો અભિમાન કરે તે ભવાંતરમાં હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. જાતિમદ આદિ આઠ મઢ દ્વારા અભિમાન કરી બીજાને હલકા પાડનાર આત્મા જે જે દ્વારા અભિમાન કર્યું હોય તે તે દ્વારા તેમાં હલકી સ્થિતિવાળા થાય છે. જાતિના મદ કરનાર નીચ જાતિમાં જાય માટે ઉચ્ચગેાત્રનું અભિમાન કરવું નહિ અને નીચગેાત્રમાં દીનતા લાવવી નહિ. ઉચ્ચગેાત્રનુ અભિમાન કરવાથી ભવિષ્યમાં તે નીચગેત્રમાં ઉત્પન્ન થાય છે.એટલે “તમ્હા મંત્તિનો ત્તેિ ના જ્વે ॥ પડિત પુરૂષ ઉચ્ચગેાત્ર પામવાથી હર્ષોં ન કરે અને નીચગેાત્ર પામવાથી ખેક ન કરે પણ બંનેમાં સમાન ભાવથી રહે પણ એટલું તા જરૂર કહી શકાય ઉચ્ચગેાત્ર ધમ સાધનામાં સહાયક જરૂર બને છે. તીથકર પ્રભુને કે ગુરૂદેવને ઉત્કૃષ્ટ ભાવે વંદન કરવાથી આવા ઉચ્ચગેાત્રની પ્રાપ્તિ થાય છે અને નીચગેાત્ર ક ને ખપાવે છે. જિતશત્રુ રાજા પ્રભુને ઉત્કૃષ્ટ ભાવે વદન કરે છે. વંદન કરતાં કરતાં પણ મનમાં શુભ વિચારાનું આંદોલન ચાલે છે. અહો હું મારા ત્રિલેાકીનાથ પ્રભુ ! તારા દર્શનમાં પણ એટલી શક્તિ છે કે જીવનના દેદાર બદલાઈ જાય. શું તમારુ સૌમ્યમુખ છે ! આપની આંખમાંથી તેા અમી વરસી રહી છે. ભક્તામર સ્તોત્રમાં પ્રભુની ભક્તિ કરતાં ખેલ્યા રૌ: શાંતરાગ રુચિભિઃ પરમાણુભિત્વ', નિર્માપિતગ્નિભુવનૈકલલામભૂ ત ! તાવન્ત એવ ખલુ તે ડેપ્યણુવઃ પૃથિવ્યાં, યો સમાન પર નહિ રૂપમસ્તિ || ૧૨ || ત્રણે ભુવનમાં આભૂષણ રૂપ હે પ્રભુ ! શાંતરસની પ્રભાવાળા જે ઉજ્જવળ પરમાણુઓ વડે આપતું શરીર બનેલું છે તેવા પરમાણુએ પૃથ્વીને વિષે ખરેખર તેટલા જ હતા, તેથી આપના જેવા તેજસ્વી બીજા કાઈ નથી. તીર્થંકર ભગવાનું ઔદારિક શરીર અતિશય કાન્તિવાળુ અને તેમની મુખમુદ્રા સપૂર્ણ રાગ-દ્વેષ રહિત બનેલ હોવાથી અત્યંત પ્રશાંત હોય છે. આવુ... અદ્ભુત કાંતિ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy