SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] [ શારદા શિરમણિ ઉચ્ચ-નીચપણું સ્વીકાર્યું છે. કર્મને આધાર પ્રાયઃ જાતિ પર છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે “જાત એવી ભાત.” સુકૃત્યે પ્રાયઃ ઉચ્ચકુળમાં સંભવે છે. એટલે સુકૃત્ય કે સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન ઉચગોત્ર કહેવાય છે. ઉચગોત્ર એટલે ફેશનેબલ પહેરવેશ, એટીકેટવાળું કુટુંબ એમ નહિ પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સંસ્કાર હોય, જ્યાં કર્મવાદનું જાણપણું- હેય તે ગોત્રને ઉચ્ચગેત્ર કહેવામાં આવે છે. ઉચ્ચગોત્રમાં ધર્મની સાધન સામગ્રીઓ, સંસ્કારે જન્મથી પ્રાપ્ત થાય છે. જેમાં રાજાને ઘેર જમેલે પુત્ર રાજ્યને અને શ્રીમંતને ઘેર જમેલે પુત્ર પૈસાને મેળવવા ગયે નથી. રાજ્યને તથા ધનને વારસો વિના મહેનતે તેમને જન્મ થતાં મળી ગયો છે તે રીતે શુદ્ધ સંસ્કારને વારસો જન્મથી ઉચગેત્રમાં મળે છે. અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય છે. રાત્રિભેજન તથા કંદમૂળ આદિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શો દોષ છે તેનું જ્ઞાન નાના બાળકને નહિ હોવા છતાં તેનાથી દૂર રહે છે. ઘેર આવેલ અતિથિને (સંતને) દાન દેવાથી શો લાભ થાય છે તે સમજતા નથી છતાં ઘર આંગણે સંતના પગલાં જોઈને તેમને વંદન કરે. તે ઉત્તમ કુળના સંસ્કારે છે. અજ્ઞાન દશામાં પણું ઉત્તમ આચારમાં ટકાવનાર કે વધારનાર ઉત્તમ કુળ છે. તેથી શાસ્ત્રકારે ઉત્તમ કુળ અને ઉચગેત્રને પુણ્યપ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચ કુળના સંસ્કારે ધર્મમાં સહાયક થાય છે. ઉચ્ચગોત્ર મળવા છતાં કઈવાર અધમીના સંગથી સારા સંસ્કારને લેપ થાય તે પણ ઉત્તમકુળની છાયાને પ્રભાવ પડયા વિના રહેતો નથી. કુળના સંસ્કારે છાના રહેતા નથી. નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર ઠેર ઉપર નાચતા નાચતા એક દશ્ય જોતાં પામી ગયા. ઉચ્ચગોત્રવાળાના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ચાર-લૂંટારાના ઘેર રહેતા પોપટ મારમારો-લૂંટ એમ બેલે છે. જ્યારે સજજનના ઘેર રહેતા પિપટ” રામ...રામ.સીતારામ વગેરે સારું બોલતા શીખે છે. ' સોનામાં સુવર્ણ પણું સ્વાભાવિક છે તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કાર સ્વભાવથી મળે છે. ત્યાં તે ધર્મના સંસ્કારો જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટે અનુકૂળતાએ ત્યાં સંકળાયેલી છે. ધર્મ બહારથી લાવ પડતો નથી. ગરીબ, ભિખારી જેવા તુચ્છને ત્યાં જ મેલે લાખપતિ થાય ખરો પણ તે બહારથી લાવે ત્યારે થાય. તેવી રીતે અન્યકુળમાં જનમેલા ને ધર્મના સંસ્કારે મહેનત કરીને બીજાના સંસર્ગથી મેળવવા પડે. ઊચકુળમાં બધા સારી પરિણતિવાળા હોય એવું નથી. ખરાબ પરિણુર્તિવાળા પણ હોઈ શકે. એવા છે ઓછા હોય. હીરાની ખાણમાં બધા હીરા હોતા નથી, પથ્થર પણ હોય છે છતાં તે ખાણુ તે હીરાની કહેવાય છે. તેવી રીતે ઉચ્ચગેત્રમાં સમજી લેવું. ઉચ્ચકુળના સંસ્કારવાળાને ઉપદેશ આત્મામાં ઉતરતા વાર લાગતી નથી. નીચત્રવાળાને ઉપદેશની અસર ન થાય એવું તે ન કહેવાય પણ અસર થતાં વાર તે જરૂર લાગે. હરિબળ મચ્છી પ્રત્યાખ્યાનમાં પહેલે મતસ્ય છેડી મૂકવાનો નિયમ કરે છે પણ જીવદયાનું સ્વરૂપ સમજવા છતાં સર્વથા અસ્થાને નહિ પકડવાને નિયમ તે ગ્રહણ કરી શકો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy