SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] [ શારદા શિશમણિ અનાદ્ધિ અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ કરાવનાર કાણુ છે? આ સંસારમાં જીવ અનેક પ્રકારના કર્માં કરીને વિવિધ ગાત્રવાળી જાતિએમાં જાય છે અને એક એક કરીને સારા સંસારમાં કયારેક અહી તા કયારેક બીજે ઉત્પન્ન થઈને આખા લેકમાં જન્મ મરણ કરે છે. અનંતકાળના કુસંસ્કારોના કારણે અસંખ્ય કાળના કર્મોના ઠેરના ઠેર આત્મપ્રદેશેા પર ખડકાયા છે, તેના કારણે જીવ ચતુગતિ સંસારમાં રખડી રહ્યો છે. જે ગતિમાં એ ગયા છે તે ગતિમાં મોટાભાગે તેણે પાપકર્માં કર્યાં છે. કુસંસ્કારો અને કર્મીની વૃદ્ધિ થાય તેવા કાર્યાં તેણે કર્યાં છે કારણ કે તે ભવામાં તેની પાસે આત્મકલ્યાણ કરાવે એવી બીજી સારી કોઈ મૂડી નહોતી. તેની નજર સામે માત્ર વ`માનકાળ હતા. સંજ્ઞી પ'ચેન્દ્રિયમાં ગયે। ત્યાં પાંચ ઇન્દ્રિયા અને મનની અનુકૂળતા હતી. એ અનુકૂળતા મેળવવા માટે જે કાંઈ કરવુ' પડે તે અધુ' એણે કર્યું છે. કઈક વાર તેા સાવ નિર્દય અને ક્રૂર બની ગયા છે! અરે, વિશ્વાસઘાતી પણુ અન્યા છે. તેા ભય'કર ક્રોધી પણ અન્યા છે. કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ પણ બન્યા છે. આ સ્થિતિમાં અનંત ગુણુના સ્વામી એવા આત્મા પાસે એક નાનામાં નાના ગુણની અપેક્ષા રાખવી કેટલી કડીન કહેવાય ? આ વર્તમાનકાળમાં અતિ દુ`ભ એવી ધર્માંસામગ્રી આપને મળી ગઈ છે. જો અનેા ચેાગ્ય સદુપયોગ કરવામાં આવે તે સત્તામાં રહેલા અનેક ગુણા પ્રગટ થયા વિના ન રહે. એક પણ ગુણ આપણે નવા નથી મેળવવા જવાના. આત્મામાંથી પ્રગટ કરવાના છે, આત્માના ગુણ્ણાની આડે આવી ગયેલા દોષોને આપણે રવાના કરવાના છે. જેમ જમીનના અંદરના ભાગમાં વહેતા પાણીના ઝરણાં ઉપર પથ્થર આવી જાય તેા એ ઝરણાંનું પાણી બહાર નીકળી શકતું નથી, પણ જેવે! એ પથ્થરને દૂર કરીએ કે તરત પાણી બહાર આવે છે, તેમ આત્માના અનંત જ્ઞાનાદિ અનંત ગુણ્ણાની આડે આ દેષો આવી જવાથી એ ગુણેા પ્રગટ રૂપે દેખાતા નથી, પણુ જેવા એ દોષો દૂર થવા લાગશે કે તરત અપ્રગટ રૂપે રહેલા ગુણા પ્રગટ થવા માંડશે. એટલે એક અપેક્ષાએ એમ કહી શકાય કે આધ્યાત્મિક જગતમાં મેળવવા કરતાં છેાડવા તરફ વધુ લક્ષ રાખવાનુ છે, કારણ કે મેળવવા જેવા ગુણા તે! સત્તામાં પડેલા છે. તેને પ્રગટ ન થવા દેનાર દોષોને ાડવાના છે. જેવા દોષો જશે એવા ગુણા પ્રગટ થવાના છે. સંસારમાં જેમ કોઈની પાસેથી વસ્તુ છેડાવવી હોય તે જેમણે વસ્તુ પકડી છે તેની ભય'કરતા તેમને સમજાવવી પડે. એ રીતે જો છેાડી ન શકે તે તેએએ પકડેલી વસ્તુ કરતાં વધુ ક`મતની વસ્તુ તેમની સામે મૂકવી પડે. નાના ખાળકના હાથમાંથી ખરાબ પદાર્થો છોડાવવા હાય તે કાં તેા એને એ પદાર્થાની ભય'કરતા સમજાવેા. કદાચ નાના બાળક એ ન સમજી શકે તેા તેની સામે રમકડાં લાવીને મૂકી દો. રમકડાં આવતાં તેના હાથમાંથી તે ખરાબ પદાર્થોં છૂટી જશે. આધ્યાત્મિક જગતમાં પણ આ જ વાત લાગુ પડે છે. જો જીવાને દોષોથી છેડાવવા હાય તા કાં તા એને દોષોના સેવનથી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy