SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શોઢો રત્ન તમારા મનમાં નિર્ણય છે ને ? જો હૈયામાં ધર્મની રૂચી હશે તેા ઘેર જશે! તા પણ ગૃહવાસ સારા છે એમ નહિ લાગે. ભલે આખા દિવસ ધર્મક્રિયા કરી ન શકે। પણ ધર્મની રૂચી તા ચાવીસે કલાક રહી શકે ને ? અહીં આવીને ધર્મક્રિયા કરતા હા પણ જો હૈયામાં ધર્મ પ્રત્યેની રૂચી ન હેાય તે વિચારો પણ ખરાબ આવી જાય. એવા સમયે જો આયુષ્યનેા બંધ પડી જાય તેા સુગતિમાં જવાના નિર્ણય ધૂળમાં મળી જાય ને ક્રુતિના બંધ પડી જાય. આયુષ્યને બંધ જીવનમાં એક વાર પડે છે, માટે સમયે સમયે જાગૃત રહેવાની જરૂર છે. આવુ' સુંદર જીવન પામીને પણ જો જીવ જાગૃત ન બને અને વિષય કષાયમાં, સંસારના રંગરાગમાં પેાતાનેા અમૂલ્ય સમય વેડફી નાંખે તે પછી આ જીવન ફરીને મળવું બહુ દુભ છે. એક વખતના પ્રસંગમાં રાજા રાજમહેલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં રધા કુંભાર સામા મળ્યા. રાજાના મનમાં થયું કે આજે રઘા કુંભાર સામે મળ્યેા છે, તેા હુ. જોઉ* કે એના શુકન કેવા છે ? રાજા મહેલમાં ગયા અને અડધા કલાકે વધામણી આવી કે રાણીએ પુત્રને જન્મ આપ્યા છે. આ વધામણી સાંભળતાં રાજાનું હૈયું નાચી ઉઠયું. તેના મનમાં થયું' કે મારે ત્યાં સંતાનની ખાટ હતી. આજે રઘાકુ ંભારના શુકન ફળ્યા કે રાજ્યમાં પુત્રના જન્મ થયેા. જે જે માણસેા રાજાને પુત્રની વધામણી દેવા આવ્યા તે બધાને સારી ભેટ આપીને સંતાપ્યા. રઘાકુંભારને આ વાતની ખબર નથી, પણ તેના શુકનથી પુત્રની વધામણી મળી છે, તેથી રાજાએ સિપાઈઓને રઘાકુંભારને કંઈક ભેટ આપવા લાવવા મોકલ્યા. રાજાના સિપાઈ આ રહ્યા ભારને ઘેર ગયા. પેાલીસાને જોતા રઘાના પેટમાં તે જાણું તેલ રેડાયું. તેને થયું કે આજે મારુ' આવી બન્યું, પણ વાત જુદી જ હતી. રઘા કુંભાર તેા થડકતા હૈયે સિપાઈની સાથે રાજમહેલમાં આવ્યા. શુ થશે ? રાજા મને શું કરશે ? એ વિચારાથી ગમગીન બનેલા રહ્યા ત્યાં ઉભા રહ્યો. બાપુ! જે કામ હેાય તે ફરમાવેા. મે' તમારા કંઈ ગુના કર્યા હાય કે ભૂલ કરી હાય તા મને માફ્ કરજો. મને અભયદાન આપો. રાજા કહે રહ્યા! તારા કંઈ વાંક ગુના નથી. આજે રાજમહેલમાં રાણીએ પુત્રને જન્મ આપ્યા છે, તેના આનંદમાં હું તને ન્યાલ કરવા માગું છું. રાજા ઈનામમાં શુ આપે ? રાજમહેલમાં તેા સેાના-ચાંદીનેતેટા જ ન હોય. રાજાએ રઘા કુંભારને એક સુંદર સાનાનુ` તાંસળું ઈનામમાં આપ્યું. ગરીબ બિચારા રઘાએ તે સ્વપ્નમાં પણ સાનાના દર્શન કર્યા નથી. તેને સાનાની ઓળખાણુ નથી. તેના મનમાં થયું કે વાડામાં જે ગધેડા રાખ્યા છે ત્યાં ગધેડાની લાદ એકઠી કરવા જે માટીનું વાસણ રાખ્યું છે તે ચેકીએ ઘડીએ ફૂટી જાય છે. તેની જગ્યાએ આ વાસણુ મજબૂત છે તેા સારું કામ આવશે ને ટકશે પણ વધારે. આ વાત સાંભળીને તમને હસવું આવ્યું પણ હમણાં તમારા નંબર લાગશે ( હસાહસ ).
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy