SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ શારદા સાગર દેશે . દેશમાં બીજાનું કલેજું લેવા માટે ઘૂમવા લાગ્યા. આ શું ભકિત કહેવાય ખરી? ના. વિષ્ણુજીએ તે નારદજીની પરીક્ષા કરવા માટે પેટના દર્દનું બહાનું બતાવ્યું હતું. વિષ્ણુજીએ કહ્યું - નારદજી! તમે કહેતા હતા ને કે હું આપને સાચે ભક્ત છું. ધમાંત્મા છું, આપની સતત ભકિત કરું છું છતાં મારા ઉપર આપની કૃપા કેમ નથી ઉતરી? જે આપ સાચા ભક્ત હતા તે તે બીજા કેઈનું કાળજુ ન લેવા જતાં તમારું પિતાનું કાળજું આપી દેત. હું ધર્માત્મા કે ભક્ત છું એવું કહેવાની જરૂર નથી. સમય આવે તરત ઓળખાઈ જાય છે. નારદજીને અહં ઓગળી ગયા. તેમની આંખ ખુલી ગઈ ને પિતાની ભૂલ સમજાઈ ગઈ. જે ભૂલ કરે તે માનવ અને ભૂલને સુધારે તે મહામાનવ આ તો વિષ્ણુ ભગવાનની માયા હતી. છેવટે કઠીયારે પણ જીવતા રહે છે. - આપણે વાત ચાલતી હતી કે શક્તિને સાચે ઉપગ કેણે કર્યો? જ્યારે જીવનમાં શકિતને સાચે સદુપયોગ થાય છે ત્યારે તેનું જીવન કોઈ અનોખું હોય છે. સમ્રાટ અશકનું નામ તે સૌ કેઈએ સાંભળ્યું હશે. તેમનું શરૂઆતનું જીવન કેવું હતું ? રાજ્ય વિસ્તારની લોલુપતાથી એક જમીનના ટુકડા માટે હજારે વીરેના ખૂનની નદીઓ વહાવી. ઘાસની માફક માનવીઓને કપાવી નાંખ્યા. તે અશોક કલિંગ દેશ ઉપર ચઢાઈ કરવા ગયા ત્યાં બુદ્ધના બે શબ્દોએ તેના પર જાદુઈ અસર કરી. જે અશોક સામ્રાજ્યના વિસ્તારની ખાતર હજારે માનવીઓના બલિદાન આપતાં અચકાતે નહે તે અશેક બુદ્ધને સમાગમ થતાં એટલે કેમળ હૃદયી બની ગયો કે પછી એક કડી જેવા નાના પ્રાણુની હત્યા થાય તે પણ જોઈ શકતો ન હતો. આવા અશોક સમ્રાટ જેવા પાપીનું એક વાર બુદ્ધને ભેટે થતાં જીવનનું પરિવર્તન થયું. તો તમે બધા કેઈ અશેક સમ્રાટ જેવા પાપી નથી. અશેકની જેમ તમે કયાં કોઈની હત્યા કરવા જાવ છો? નથી જતાં. છતાં તે સમજાવે ને હદય પલ્ટાતું ન હોય તે આપણી શક્તિને દુરૂપયેગ કરી રહ્યા છીએ. સમ્રાટ અશોકનો પટ થશે તે પણ કેટલે સુધી? તેણે રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખે કેતરાવ્યા કે એક પણ પશુ કે પ્રાણીની કોઈ પણ હિંસા કરશે તે મારા રાજ્યમાં જીવતા નહિ રહે. તેમણે પ્રજાને પ્રાણી માત્ર તરફ પ્રેમવૃત્તિ રાખવાને સંદેશ આપે. એટલું જ નહિ પણ તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પિતાના પ્રિય પુત્ર અને પુત્રીને પણ પરદેશમાં મોકલ્યા. આ છે સમ્રાટ અશકની શક્તિને સાચો સદુપયોગ. જેને ઈતિહાસમાં અર્જુન માળી, પરદેશી શરા, જેવા તેમના જીવન પહેલા કુકૃત્યથી ભરેલા હતા. તેઓ પિતાની શકિતને દુરૂપયોગ કરી રહ્યા હતા. પરંતુ એક મહાપુરૂષના સમાગમમાં આવતા તેમના જીવનમાં અંધકાર દૂર થયે, ને પ્રકાશ ફેલાયે. પછી તેમણે પિતાની શકિતને ઉપયોગ કર્મોને તેડવામાં કર્યો. આજે શકિતને સાચે ઉપયોગ તે વિષયમાં ઘણી વાતો કરી. તમે સાંભળી પણ ઘણી. હવે આપણે એ વિચારવાનું છે કે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy