SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૦૩ જીવનભર દાસીઓ મનીને રહેવા તૈયાર થઈ પણ એમાં સીતાજી લલચાયા નહિ. ત્યાર પછી રામચંદ્રજીએ લેાકાપવાથી તેમને વનમાં મેાક્કી દીધા. છતાં તેમના ઉપર સહેજ પણ દ્વેષ ન કર્યા. ત્યારે એ પાતાના જીવનને ઉન્નત મનાવીને પ્રાતઃસ્મરણીય બની ગયા છે. જેને આત્માના સાચા વૈભવનું ભાન થયુ છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે, કે આત્મા પેાતાના સ્વરૂપમાં લીન ખનીને અન્તર્મુખ ખની જાય તા સનાથ ખની શકે. न तं अरीकंठ छेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया । सेना मच्च मुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ઉત્ત. સ. અ ૨૦ ગાથા ૪૮ ગળું કાપનાર દયાહીન વૈરી પણ જે અહિત નથી કરતા તેનાથી અધિક અહિત અહિં ભાવમાં પડેલા ક્રુરાત્મા કરે છે. મૃત્યુના મુખમાં પડતાં તે દુરાત્માને મહાન પશ્ચાતાપ થાય છે. કમળના પુષ્પ ઉપર મુગ્ધ બનેલા ભમરા હાથીના મુખના કાળિચે અની જાય છે. તેમાં તેની પેાતાની ભૂલ છે. આ પ્રમાણે આત્મા પેાતાની ભૂલથી પેાતાનું અહિત કરે છે. એવુ અહિત માથાના કાપનાર વૈરી પણ કરતા નથી. આજે કાઇ માણુસ કાઇનું માથું તલવારથી જુદુ' કરી નાંખે તે તેને મોટા બૈરી માનવામાં આવે છે. પણ જ્ઞાની કહે છે કે દુર્ભાવમાં જોડાયેલા આત્મા પોતાનુ જે અહિત કરે છે તેવું અહિત મસ્તક છંદનાર દુશ્મન કરી શકતા નથી. ગળુ કાપનાર દુશ્મન તેા શરીરને નષ્ટ કરે છે કે જે શરીર એક દિવસ તા નષ્ટ થનારું હતું પણ તે દુશ્મન જીવને નરક ગતિમાં મોકલવા સમર્થ નથી, પરંતુ એવા દુશ્મન જ્યારે માથુ કાપતા હાય ત્યારે તેના ઉપર સ્હેજ પણ ક્યાય ન આવે તે તે દુઃખ સહન કરનાર આત્મા મેક્ષમાં અથવા દેવલાકમાં જાય છે. તે વખતે તે વૈરીને પાતે સહાયક માને છે. એટલે કહેવામાં આવે છે કે ગળું કાપનાર વૈરી એવી હાનિ કરતા નથી કે જેવી હાનિ પેાતાના દુરાત્મા કરે છે. અધુએ ! આવા પવિત્ર માનવ દેહ અને ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે મળી છે. મહાન પુણ્યના થાક ભેગા થાય ત્યારે માનવ દેઢુ મળે છે અને દરેક ઇન્દ્રિયા પણ સુરક્ષિત મળે છે. આ મહાન પુણ્યના યથી મળેલી ઇન્દ્રિયાન ઉપયોગ દુરાત્મા કયાં કરી રહ્યા છે? મેાજશેાખમાં અને લેાગિવલાસમાં. આ રીતે જે સાધુ સાધુપણાથી પતીત થાય અને ઇન્દ્રિયા ઉપર કાબૂ ન રાખે તે તેના આત્મા પણ દુશત્મા છે. દુરાત્મા સંસારમાં આનંદ પામે છે, સુખ ભાગવે છે પણ જ્યારે મૃત્યુના સુખમાં સપડાય છે ત્યારે તેને ખૂબ પશ્ચાતાપ થાય છે. તે સમયે મંત્ર-તંત્ર - જ્યાતિષ લક્ષણાદિ વિદ્યાએ કામ આવતા નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને યાના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy