SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શારદા સાગર ખાપાનું મધ કેટલું મીઠું હશે ? એ મીઠાશ મધની નહિ પણ હ્રયની છે. જેમાં મધ કરતાં પણ વધારે મીઠા ભાવેા ભરેલા છે. મૂલ્ય ભાવનાનુ છે. ગાડાઉનમાં માલ ભ હાય અને બજારમાં તેના ભાવ ત્રણ-ચાર ગણા થઈ જાય તે તમારા ચહેરા ઉપર રોનક દેખાય છે. પણ જો માલ ભર્યાં હાય ને ભાવ બેસી જાય તેા ચહેરાનું નૂર ઉડી જાય છે. તેવી રીતે ધાર્મિક સાધનામાં પણ ભાવનું મૂલ્ય છે. શષ્ટ્રપતિના મનમાં એ સમજાઈ ગયું કે પેાલીસે ખાપાને ગાઢા માર્યા, તિરસ્કાર કર્યા છતાં તે જતેા નથી. મારા માટે પ્રજા જો જાન દેતી હાય તા મારે મારુ કન્ય અદ્યા કરવુ જોઈએ. એમ સમજીને તેમણે આપાની ગરીબાઇ દૂર કરી દીધી. આજે માનવ પેાતાના કર્તવ્યને ભૂલી ગયા છે. સુદામાના ફાયા તૂટયા કપડાં અને સાવ ગરીબ જેવા દેખાવ જોઇને 'દ્વારપાળે અંદર જવાની ના પાડી. ત્યારે સુદામા કહે છે ભાઇ ! તમે કૃષ્ણની પાસે જઇને એટલુ કહે કે સુદામા આવ્યા છે. આ સમયે કૃષ્ણ પેાતાની ગેપીએ સાથે ખેલ કરે છે. બધા ભેગા થઈને આનં- મસ્તી કરી રહ્યા છે. ત્યારે દ્વારપાળે જઈને કહ્યું. મહારાજા! સુઢ્ઢામા આપને મળવા માટે આવ્યા છે. આટલી ગેાપીઓની વચ્ચે આનંદ કરતાં કૃષ્ણુજીએ ‘ સુદામા ’ નામ સાંભળ્યું ત્યાં તરત ઉભા થઈ ગયા, ને છોકરા દોટ મૂકે તેમ ક્રેટ મૂકી. મહારાણીએ વિચાર કરે છે કે આપણા પતિ એકમ ઢાયા કેમ ? શું તેમને કંઈ થયું છે? આમ રાણીએ વિચાર કરે છે ત્યાં તે કૃષ્ણજી મુદ્દામાને ઉંચકીને મહેલમાં લઈ આવ્યા. ને પલંગ પર બેસાડયા. આ જોઇને રાણીએ મુખ્ય ખની ગઈ. કે આણે કેવા મેલા ઘેલા કપડાં પહેર્યાં છે! તેવાને સ્વામી મહેલમાં લઈ આવ્યા. શું આપણા પતિ ગાંડા થઈ ગયા છે? આમ વિચાર કરતી રાણીઓ મજાક કરવા લાગી. કૃષ્ણજી કહે- તમે બધા મજાક ન કરો. આ તે મારા ખાલપણાના મિત્ર છે. તમે શું જમાડે છે। તેના કરતાં અધિક મીઠું એણે મને જમાડયુ છે. સુદ્યામાએ કૃષ્ણજીને શું જમાડયું હતું? તાંદુલ. તે પણ રાંધેલા નહિ. કેટલી કિંમતના આ ચાખા હતાં? આમ તા તેની કિંમત ત્યારે એ પૈસા પણ નહિ હાય, કારણ કે તે વખતે મોંઘવારી નહેાતી તેમજ વિદેશમાંથી ચેાખા મગાવવા પડતા પણ નહેાતા. તમારી નજરે એ ચેાખાની ભલે કાંઇ કિ ંમત ન હાય પણ તેનું મૂલ્ય જાણવુ હોય તે કૃષ્ણજીને પૂછે. કૃષ્ણ વાસુદેવ રાણીઓને કહે છે તેની કિંમત તમે નહિ આંકી શકો. તમારા રસવતા લેાજનમાં જે સ્વાદ નથી આવતા તેથી અધિક મીઠાશ સુઢામાના પ્રેમભર્યા તાંદુલમાં હતી. કૃષ્ણજીએ સુામાને પૂછ્યું-હું મારા ખાલ મિત્ર! તમારે આટલે સુધી કેમ આવવું પડયું? મારા લાયક જે સેવા હાય તે વિના સાચે ક્રૂરમાવેા. સુદામાને ખેલતાં જીભ ઉપડતી નથી. કે હું આ કારણે આવ્યો છું. કૃષ્ણજી સમજી ગયા કે મારા મિત્રની સ્થિતિ ખૂબ ગરીખ થઈ ગઈ લાગે છે. તેમણે સુદ્યામાને છ મહિના પેાતાને ઘેર રાજ્યા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy