SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૮૭૮ છે. બધી પેઢીઓ નુકશાનમાં ફૂખી રહી છે. તે હું તને નમ્ર વિનંતી કરું છું કે આપણી પ્રતિષ્ઠા કાયમ રાખવા માટે તથા ખીજાને નુકશાન નહિ પહોંચાડવા માટે તારી પાસે સેાના, હીરા, માણેક આદિના જે દાગીના હાય તે બધુ મને આપેા. તે આપણે જેનુ લીધુ છે તેને પાછું આપી દઇએ. આ વેપારીની પત્ની બીજી સ્ત્રીઓ જેવી ન હતી. શેઠ જેવા કર્તવ્ય પરાયણ હતા તેવા શેઠાણી પણ કર્તવ્યને ખરાખર સમજનારા હતા. આજે ઘણા સ્થળે એવી પત્ની પણ જોવામાં આવે છે કે ગમે તેવા કટોકટીના પ્રસંગ આવે તે પણ તે સ્ત્રી પાતાના દાગીના મધુરું સાચવી રાખે પણ પતિને સહાયક ન ખને. પતિના પ્રાણુ જવાને સમય આવી જાય તે પણ પેાતાની પાસે ડાય તે કાઢીને આપે નહિ. આ વહેપારીની પત્ની પતિવ્રતા ધર્મને ખરાખર સમજી હતી. પેાતાના પતિની વાત સાંભળીને તેણે કહ્યું. સ્વામીનાથ ! આ બધું આપનુ છે ને આપને આપવાનુ છે. તેમાં શુ વિશેષતા છે? એમ કહીને પાતે હસતે ચહેરે સૌભાગ્ય માટે નાકની સળી રાખીને બધા દાગીના ઇ દીધા અને કહ્યું. આપ કમાયા છે. આ બધુ આપતું છે. મારે મન તે આપ સસ્વ છે. દાગીના કે મિલ્કત બધું આપ છે. શેઠ બધા દાગીના લઈને પેઢી ઉપર ગયા અને પેાતાના નાકર મારત બધા વહેપારીને ખેલાવ્યા ને વહેપારીઓને કહ્યું. અત્યારે મારા વહેપારમાં જબરદસ્ત ખેાટ આવી છે. પણ મારૂ ક્તવ્ય છે કે મે જેનુ લીધુ છે તેને પાછું દેવું જોઈએ. પરંતુ હું અત્યારે એ સ્થિતિમાં નથી કે આપ બધાનું પૂરૂ ઋણુ હું ચૂકવી શકું. એમ કહીને દાગીનાના ઢગલે કર્યાં. તથા ખેતર, ઘર આદિ સ્થાવર મિલ્કત ખતાવીને કહ્યું, તમે આટલા બધા વહેપારી છે ને મારી પાસે મુડી આટલી છે. આપ તેના હિસાબ મૂકો. અને આપ બધા અરસપરસ વહેંચી લે. આપ બધાનું જે કાંઇ વ્યાજ કે રકમ બાકી રહેશે તે મારા પુણ્યના ઉદય થશે ને મને મળશે ત્યારે હું તે ઋણ ચૂકવીશ. પરંતુ અત્યારે તે આપ આટલુ લઇને પણ મને ઋણમાંથી મુકત કરે. બંધુએ ! દુઃખના સમયમાં પણ કેટલી પ્રમાણિક્તા અને પેાતાનું કર્તવ્ય અઠ્ઠા કરવાની શેઠની કેટલી તમન્ના છે! શેઠના કર્તવ્યપરાયણુ યુક્ત મીઠા વચને સાંભળી આવનારા બધા વહેપારીએ આશ્ચર્યચક્તિ થઈ ગયા અને શેઠની ઈમાનદારી પર ખૂબ પ્રભાવિત થયા. બધાના મનમાં એમ થઇ ગયું કે શું આ શેઠની કર્તવ્યપરાયણતા છે! પેાતાના ઘરના ઘર વેચી પાતે ખુલ્લા પગે ઘર બહાર ચાલી નીકળીને પણ પેાતાનું કર્તવ્ય અદા કરે છે. તે હવે આપણું પણ એ કર્તવ્ય છે કે આપણે ધસી પડતા મકાનના સ્થંભ જેવા બનવું જોઇએ. એટલે તેમના અત્યારે જે સાગે છે તેમાં આપણે ટેકા રૂપ અનીને તેમને દુ:ખમાંથી ખચાવી લઇએ. એમ વિચાર કરીને આવનાર બધા વહેપારીઓએ શેઠને પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા ને કહ્યું–આ પૈસાથી તમે ધંધા શરૂ કરી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy