SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર વ્યાખ્યાન ન ૯૭ ૮૫૫ કારતક સુદ ૪ ને શુક્રવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના ! અનંત કરૂણાનિધી, શાસનપતિ, વીર ભગવંતા પેાતાનું કલ્યાણ સાધી ગયા અને અધા જીવાનુ કલ્યાણ કેમ થાય, મધા જીવા શાશ્વત સુખ કેમ પ્રાપ્ત કરે એવી કરૂણાભરી દૃષ્ટિથી સિદ્ધાંતની વાણી રજુ કરી. આત્માના શાશ્વત સુખને માર્ગ બતાવનાર ભગવંતના આપણા ઉપર મહાન ઉપકાર છે. ભગવંતના મુખમાંથી જે વાણી નીકળી તેને ગણધર ભગવતાએ ઝીલીને તેનું સંકલન કર્યું છે. એટલે જેટલા સજ્ઞ ભગવંતને આપણા ઉપર ઉપકાર છે. તેટલા ગણધર ભગવત અને આચાર્ય ભગવાના આપણા ઉપર ઉપકાર છે. કારણ કે ગણધરો પાસેથી પરંપરાગત સિદ્ધાંતની વાણી આચા પાસે આવી. એ ભૂલાવા માંડી ત્યારે આચાર્યએ તેને લિપિબદ્ધ કરી. જે આગમા લિપિબદ્ધ ન થયા હાત તા અત્યારે જે મેાજુદ છે તે આપણને મળત નહિ. તા. ૭-૧૧-૭૫ દુનિયામાં વાણી તે અનેક પ્રકારની છે. મધી વાણી કરતાં જિનવાણી મહાન છે. જિનવાણી ઉપર જેને શ્રદ્ધા થાય તેના બેડા પાર થાય છે. જેને જિનવચન ઉપર શ્રદ્ધા થાય છે તે એમ માને છે કે જિનેશ્વર ભગવંતની આજ્ઞા એટલે મારે પ્રાણ છે. ભગવ ંતની આજ્ઞાનું પાલન એ ભવરાગ નાબૂદ્ર કરવાની અકસીર ઔષધિ છે. જેને વીતરાગ વચન ઉપર શ્રદ્ધા નથી તેનુ જીવન પ્રાણુ વિનાના કલેવર જેવું છે. આ વીતરાગ વાણીને અમૂલ્ય વારસા મળ્યા છે તેને જવા દેશેા નહિ. અમૂલ્ય વારસા મળ્યા પણ ભાગ્યમાં હાય તા ભાગવાય ને? જેમ એક ગરીબ માણસ ચાલ્યેા જતેા હતેા. તેને જોઇને દેવને યા આવી. એટલે રસ્તામાં દેવે કિંમતી રત્ન મૂક્યું. ત્યારે એ સમયે પેલા ગરીબ માણસના મનમાં થયું કે આંધળા માણસ કેવી રીતે ચાલતા હશે ? તેમ વિચારી આંખે પાટા બાંધ્યા. પરિણામે તે રત્ન મેળવી શકયા નહિ. એ રીતે અત્યારના યુગમાં વીતરાગ વાણી મળી અને વીતરાગ વાણી સભળાવનારા સંતે પણ મળ્યા. છતાં પેલા ગરીબની માક આજના માનવી એમ માને છે કે ઘડપણમાં નિરાંતે ધર્મધ્યાન કરીશું. પણ તેને ખબર નથી કે આયુષ્યનેા તાર કયારે તૂટશે માટે ધર્મારાધના કરી લઉં. જ્ઞાનીપુરૂષ! સાચા સુખને રસ્તા બતાવે છે પણ અજ્ઞાની જીવા તે રાહે નહિં ચાલતા અવળા રસ્તે ચાલે . છે. અહીં એક રૂપક યાદ આવે છે. i એક દિવસ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં લક્ષ્મીજીની દૃષ્ટિ પૃથ્વી ઉપર પડી. જોયું તે ગઢા ગંધાતા ભૂંડ, ભૂંડણી એને પરિવાર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy